આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

વિભીષણનું આ પ્રમાણે આવી મળવું રામને અતિશય ઉપકારક થઈ પડ્યું. એની તરફથી એને રાવણના બળની પૂરેપૂરી માહિતી મળી શકી. એની સલાહથી અને નળ નામના એક ઉત્તમ વાનર શિલ્પીની મદદથી રામે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, અને તે ઉપર થઇ લંકામાં સૈન્ય ઉતાર્યું. સુવેલુ નામના પર્વત ઉપરથી રામ, લક્ષ્મણ, સુગ્રીવ, વિભિષણ વગેરે લંકાનું સારી રીતે નિરીક્ષણ કરી શકતા હતા.

રામે તરત જ લંકાની ચારે પાસ સખ્ત ઘેરો ઘાલ્યો.એક ચલીયું પણ અંદર પેસવા ન પામે એવો એણે બંદોબસ્ત રાખ્યો હતો. પણ કિલ્લા પર હલ્લો કર્યા પહેલાં છેવટનો સામ-ઉપાય લેવાના ઇરાદાથી અંગદને વિષ્ટિ કરવા રવાના કર્યો. અંગદ રાવણ પાસે ગયો, તેને સમજાવ્યું, પણ અભિમાની અસુરે કશુંયે માન્યું નહિ.

યુદ્ધ

રામે લંકા પર તૂટી પડવાની સૈન્યને આજ્ઞા આપી. બન્ને બાજુએ ભયંકર યુદ્ધ ચાલ્યું. એક પછી એક રાવણના વીરો પડવા લાગ્યા. છેવટે કુમ્ભકર્ણ પણ રામને હાથે પડ્યો. રાવણનો જ્યેષ્ઠ પુત્ર ઈન્દ્રજિત, જે

૫૪