આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

બાલકાણ્ડ

પૃ.૭. લી. ૯ : રાક્ષસ - એટલે બહુ જંગલી માણસો. એમનામાં મનુષ્યના શુભ ગુણોનો વિકાસ નહિ, નીતિજીવનનો ખ્યાલ નહિ. એ ક્રૂર અને નરમાંસભક્ષક હતા. જેમ સર્પ અને સિંહ વગેરે પ્રાણીઓનો મનુષ્યને જૂના કાળમાં ઘણો ઉપદ્રવ વેઠવો પડતો અને તેથી એનો શિકાર કરી નાશ કરી નાંખવામાં આવતો, તેમ વધારે પરાક્રમી અને નગરો તથા શહેરો વસાવવાની ઇચ્છાવાળી પ્રજાઓ આવી રાક્ષસપ્રજાઓનો શિકાર કરતી. એ રાક્ષસોનું શરીરબળ ભારે. કાયા ઉંચી,પણ બુદ્ધિ મંદ અને શસ્ત્રબળ નામનું. વિશ્વામિત્રનો હેતુ કોઇ નવી વસાહત કરવાનો હોય, અને તેમાં દેવોની મદદ મળે એ કામનાથી યજ્ઞારંભ કર્યો હોય એમ સંભવે છે. એ રાક્ષસો ભારતવર્ષની જૂની પ્રજા
૭૫