આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.


તપથી અધર્મનો પગ પૃથ્વી ઉપર પડી જ કેમ શકે એવી શંકા ઉપજવાનો સંભવ છે. તપનો હેતુ તો સત્યની શોધ કરવાનો જ હોવો જોઇયે. તેને બદલે જ્યારે મલિન આશયો સિદ્ધ કરવા, બીજાને પીડવા કે સાંસારિક સુખ, બળ ઇત્યાદિ માટે તપ કરવામાં આવે ત્યારે તપનો અર્થ પણ ફેરવાય, પ્રકાર પણ બદલાય અને એ અધર્મને પોષક પણ થાય. પોતાનો કોઈક સંકલ્પસિદ્ધ કરવા માટે એકાગ્ર ચિત્તે જે જે ઉપાયો યોજવામાં આવે એ સર્વેનું નામ તપ. ગીતાના અ. ૧૭ શ્લો.૧૭ થી ૧૯ માં સાત્ત્વિક, રાજસ અને તામસ તપનું વિવેચન છે તે જોવું.

સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોમાંથી એક્ કે બેની પ્રધાનતા પરથી મનુષ્યના ચાર વર્ણો સ્વાભાવિકપણે પડ્યા છે એવી આપણી માન્યતા છે. તે પ્રમાણે સત્ત્વપ્રધાન મનુષ્ય તે બ્રાહ્મણ, સત્ત્વ-રજસ્-પ્રધાન ક્ષત્રિય, રજસ્તમસ્-પ્રધાન વૈશ્ય અને તમસ્-પ્રધાન તે શૂદ્ર. કોઇ તમસ્-પ્રધાન મનુષ્ય મલિન આશયથી તપ કરતો હોયે તેને પ્રજારક્ષાણાર્થે રાજાએ અટકાવવો જોઇયે, નહિ તો અધર્મ વધે એમ આ કથાનું તાત્પર્ય હોવાનો સંભવ છે.

પૃ.૬૭, લી.૨૯:તપના અધિકારનો સિદ્ધાન્ત - આ દલીલ વજુદ વિનાની છે એમ નહિ કહી શકાય. જેટલાં ગુરુગમ્ય જ્ઞાન છે તેમાં જિજ્ઞાસુનો અધિકાર તપાસવાની પ્રથા આપણા દેશમાં પ્રાચીન કાળથી ચાલી આવી છે. અધિકાર તપાસવામાં બે દૃષ્ટિઓ હતી. શિષ્યની ચિત્ત-
૮૧