આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસાનો એક પ્રયોગ : ૩૩
 

ઉન્મત્ત ન બનતાં સલુકાઈથી કહ્યું.

‘કાયદામાં દાખલ થઈ ચૂકેલો સુધારો મારા ઉપર હુમલો કરે તે પહેલાં આ ધારામંદિરમાં આશ્રય લઈ મારા મિત્ર મુખ્ય પ્રધાનને એક જ સૂચના કરવાની છે. અહિંસાની સ્થાપના માટે તમે કહેવાતા અહિંસકો હિંસાની જ પુનઃપ્રતિષ્ઠા કરો છો !’

‘નામદાર અધ્યક્ષ ! એ દલીલ મેં ઘણી યે વાર સાંભળી છે. હિંસા એના છેલ્લા પગ ઉપર ઊભી છે. એને પૂરી ઉથલાવી પાડવા ધક્કો મારવાની જરૂર હોય તો તેથી અમારી અહિંસા ડરશે નહિ. અહિંસાની સ્થાપના હિંસાની હિંસાથી જ થઈ શકે.’ મેં મુખ્ય પ્રધાન તરીકે કહ્યું.

‘પણ તે આવી બળજબરીથી ?...’

અને મારી આખી સભા ઊડી ગઈ. મારી પુત્રીનો કંઠ મેં સાંભળ્યો. એ કાંઈ અહિંસાની વાત કરતી હતી.

‘શા માટે નહિ ? અમે સામ્યવાદીઓ બળજરીથી પણ લોકનું ભલું કરવાના જ.’ મારા પુત્રનો કંઠ સંભળાયો.

અને મારી ખાતરી થઈ કે અહિંસાને માટે મેં રજૂ કરેલી કલમ જ્યાં સુધી ફૉજદારી કાયદામાં દાખલ નહિ થાય ત્યાં સુધી અહિંસાની સ્થાપના અશક્ય છે !