આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૩૫
જુગના જુગ જતા કંઇ લાગે, ગણતાં નાવે પાર :
કાળા કાળ વિષે પડી કંથથી છૂટી અભાગી નાર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૪
રંગમહેલે રસરાસ રમાડી પાયાં અમૃત અમોલ :
તરછોડેલી નાત તે તરસે સુણવા હવે એક બોલ !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૫
જડ આ જગતની શ્યામ ઘટામાં ઘૂઘવે ઘોર સમીર :
નાર અનાથ એકાંત વહાવે નયને અનહદ નીર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૬
ઘન ગાજે ને વીજ ઝબૂકે, બોલે દાદુર મોર;
કંથ વિના મુજ થરથર કંપે કાલજડાની કોર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૭
ઝગમગતાં સહુ રત્નને શું કરું ? શું કરું સોળ શણગાર ?
સ્વામી વિના મને એ સહુ લાગે ધધગતા અંગાર !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૮
લોક કહે જપતપ કીધે વહાલો મળે સાક્ષાત :
હું દુખીએ વ્રત કોડ કીધાં પણ વહાલાની ક્યાં વાત ?
મોંઘા મારા નાથ પધારો આજ ! ૯