હું કાઠીઓને તગડ્યે જાઉં છું, હમણાં ઘેરી લઈશ, હમણાં પોંખી નાખીશ.
ત્યાં તો તળાવડીમાંથી પાંચસેં ભાલાં ઝબક્યાં.
હળવદની સેનાને દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું. આવીને જોયું ત્યાં બાકીનું કામ બાવાઓએ પતાવ્યું હતું.
“આપા ભોકા, આપા રામા, હળવદનો દરબારગઢ રેઢો છે. આડે દેવા એકેય માટી નથી રહ્યો.” કાઠીઓ બોલી ઊઠ્યા.
“ના.” રામા ખાચરે ને ભોકા વાળાએ બેય જણે કહ્યું, “કાઠીનો દી માઠો બેઠો નથી. હળવદનો રાણીવાસ લૂંટાય નહિ — મર લાખુંની રિદ્ધિ ભરી હોય. હાલો, પે’લી તો મોતીચંદ શેઠની ખબર કાઢીએ.”,
ઓરડામાં મોતીચંદ શેઠની પથારી છે. ઘાયલ થયેલા મોતીચંદ પડ્યો પડ્યો કણસે છે.
રામા ખાચરે મોતીચંદના પગની રજ લઈને માથે ચડાવી. બોલ્યા, “ભાઈ ! વાણિયાની ખાનદાનીના આજ દર્શન થયાં. મોતીચંદ, તું ન હોત તો મારું મોત બગડત.”
મેતીચંદે આભ સામે આંગળી ચીંધીને કહ્યું: “ધણીની મરજી, આપા !”
દીકરીને લઈ બેય મેલીકાર ચાલી નીકળ્યા. સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે ચોટીલાને સીમાડે ભેાકા વાળાનું કટક નેાખું તરી રહ્યું.
“રામા ખાચર ! હવે બેનને ફેરા ફેરવીને વેલા પધારજો, અમે વાટ જોઈને બેઠા છીએ.”
“વેલડું થંભાવો !” બાઈએ અંદર બેઠાં બેઠાં અવાજ દીધો.
“કાં બાપ? કેમ ઊભું રાખ્યું ?” બાપુએ પૂછયું.
“બાપુ ! હું ડાકણ છું.”