આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩

કરપડાની શૌર્યકથાઓ

વાસણ કાળાં પડેલાં.

“મારા બાળારાજાના એારડા આમ રઝળતા કેમ રખાય ! ગઢની આબરૂના કાંકરા થઈ જાય ને!” એમ વિચાર કરીને એણે આઠ વર્ષના ભેાજનો વિવાહ કર્યો. ગોસળ ગામની ચૌદ વરસની રંભા જેવી કાઠિયાણી આણી. જુવાન કાઠિયાણી પાતાના ઘરમાં માંડછાંડ કરવામાં તલ્લીન બની ગઈ. ધણી કેવડો છે એ ધ્યાન કરવાનું ભાન એને રહ્યું નહિ.

એંશી એંશી વરસના બે કરપડાને આપા વિસામણે ડેલીએ ચોકી કરવા બેસાડ્યા. રોજ સવારે ગઢમાંથી વડારણ આવીને લોટના બે શગભર્યા સૂંડા ડેલીએ મૂકી જાય, ને બેય કરપડા આખો દિવસ સાધુ-બ્રાહ્મણને છાલિયું લોટ આપે. ગઢમાં એક કૂતરું પણ બે બુઢ્ઢા કરપડાની રજા વગર પેસી ન શકે.

વિસામણ કરપડાને જીવો નામે એક દીકરો હતો. એ જીવો અને કરપડાના બીજા સત્તર તેવતેવડા જુવાને સવાર પડે ત્યારથી ભોજભાઈને વીંટી ૯યે. તે રાતે સૂવાટાણે નેાખા પડે.

પિતરાઈએાને તો હજાર વાતે પણ વેર કરવું હતું. પોતાનાં ઘેાડાં લઈને ભેાજની સીમ એ ભેળવવા માંડયા, એટલે એક દિવસ વિસામણ કરપડાએ એ બધાં ઘોડાં બાંધી દીધાં.

પિતરાઈએાએ ધ્રાંગધ્રાના રાજસાહેબ પાસે જઈને લાલચ દીધી કે 'જો ભેાજને ઠેકાણે કરે, તે અમારો અરધો ગરાસ તમને આપીએ.”

રાજ મનુભા વિસામણ કરપડાને “ વિસામણ કાકા” કહી બેાલવતા. મોરબી અને ધ્રાંગધ્રા વચ્ચે મીઠાના અગર માટે જ્યારે તકરાર પડી હતી ત્યારે રાજસાહેબને જો કેાઈ એ જિતાવ્યા હોય તો તે વિસામણ કાકાએ વિસામણ કાકા કરપડાએાનાં માથાં લઈને રાજસાહેબની વહારે ગયેલા. પણ