આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨ : ૨

૧૫૬


કાળો મરમલ તો દસ-વીસ વરસની ઉંમરે જ મરણ માગતો હતો. આ તો પચીસ વરસે મરણનો મિલાપ થયો. પાંચ વરસનું મોડું થઈ ગયું. હવે એ પાછો કયાંથી આવે ?

પછેડા પાંખે, મરમલ વાંછીતો મરણ,
જોવણ અંગ જડતે, કી' કરી આવે કાળિયો ?

અરે ભાઈ ! દસ-વીસ વરસે નહિ, એને તે એના જન્મ પછી તત્ક્ષણ કુંવરપછેડા ઓઢયા પહેલાં જ મરવું હતું. પણ એ ઝંખનામાં એને જુવાની આવી ગઈ. મોત સમા મિત્રનો આટલો મોડો મેળાપ થાય પછી કાંઈ એ પાછો આવે ?

ભૂખાળુ ભાલા તણો, કળકળતો કટકે,
(હવે) ભેાજન ખગ ભેટ્યે, ક્યાંથી આવે કાળિયો ?

ભાલાંની એને એવી ભૂખ લાગી કે ધીંગાણાને માટે એ કળકળી રહ્યો હતો. એવો ભૂખ્યો માણસ તરવારરૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા વિના શી રીતે પાછો આવે ?

કુંતારી હોળી કરી, (ઉપર) ઘરહર રંભા ઘેર,
(એમાં) નાખ્યાં વણ નાળિયેર, કયાંથી આવે કાળિયો ?

ધરતી ઉપર ભાલાંરૂપી ભડકાની હોળી પ્રગટી હતી. અને એ હોળીની ઉપર ઘેરો વળીને રંભાઓ ઊભી હતી. ધીંગાણારૂપી એવી સુંદર હોળીમાં પોતાના મસ્તકરૂપી નાળિયેર[૧] નાખ્યા વિના કાંઈ કાળો પાછો આવે ?

આવે ગાતી અપસરા, સૂરા સામૈયે,
પાછો વણપરણ્યે, કયાંથી આવે કાળિયો ?

એ યુદ્ધ નહોતું, પણ કાળાનું લગ્ન હતું. સ્વર્ગરૂપી સાસરામાંથી

અપ્સરાઓ ગીત ગાતી ગાતી આવતી હતી. અને શંકર આદિ સુર લોકો


  1. હુતાશનીની જ્વાળામાં શ્રીફળ હોમવાનો રિવાજ છે.