આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
રાઠોડ ધાધલ

સોરઠમાં મેાટી મેાટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા'કુંભો એવા કંઈક મહારથીઓએ પોતપોતાનાં રાજની જમાવટ કરીને મસાણમાં સોડ તાણી લીધી હતી. રાજકોટને ટીંબે ગોરાએાની છાવણીના તંબુ ખેંચાતા હતા. એકબીજા રાજ્યોના સીમાડા કાઢવા અંગ્રેજ સરકારના હાકેમો હાલી મળ્યા હતા. મોટી મોટી ફોજો હાંકવાના દિવસ વીત્યા, અને પછી તો નાણાં ખરચી ખરચીને જમીનો વેચાતી લઈ લઈ મોટાં રાજ્યો પોતાના સીમાડા વધારતાં હતાં.

ફક્ત બહારવટાની બંદૂકો દશે દિશામાં ગડેડાતી હતી. ગોહિલવાડમાં જોગીદાસ ખુમાણ અને સોરઠમાં બાવા વાળો હાક બોલાવતા હતા. બાકી તો લૂંટારા કાઠીઓ ગુજરાતના કાંઠા સુધી મેલીકાર લઈને લૂંટો કરતા હતા.

એવે સંવત ૧૯૦૦ને સમયે કાઠિયાવાડના મુલકમાં સેનાની વીંટી જેવા સનાળી નામે ગામડામાં રોગી સોપારી જેવો બેઠી દડીનો રાઠોડ ધાધલ નામનો કાઠી જેતપુર દરબાર રાણિંગ વાળાની જમીનની ચોકી કરતો હતો.

સનાળીના ત્રણ બાજુના સીમાડા ઘેરીને ગોંડળ રાજનાં

ગામડાં ઊભાં છે : ઉગમણી કુંભાજીની દેરડી, ઓતરાદી

૯૮