૧૦૬
કહ્યું : “કીં, ભણે ગોર ! હવે સમ પાળ્યા કે'વાય કે ?”
ધોળો બેાલ્યો : “ આપા ! કાઠીના પેટનો હો તો આંહીં જ ઊભો રહેજે. હમણાં પચાણજી કાકાને મોકલું છું."
"ઈં છે? પચાણજી ઝાલો આવ્યો છે? એમાં આજે મને નોતરો દીધો હશે, કીં? જા, ઝટ મોકલજે. અહીંથી ડગલુંય દે ઈ પચાણજીને દીકરો !”
ધોળો મહારાજ ધા નાખતો નાખતે દેરડીમાં ગયો, પચાણજીને કહ્યું : “ઠાકોર, ગેાંડળને જો દેરડીનો એક વીઘેાય ખાવા આપે તો હું બ્રાહ્મણના પેટને મટી જાઉં !”
પચાણજીએ પૂછ્યું : “એલા કોણ ?”
“રાઠોડ ધાધલ. ”
પચાણજીનાં રૂવાડાં બેઠાં થઈ જાય તેવો ત્રાસ ધોળા ભટે વર્ણવી દેખાડ્યો. ઝાલાએ હાકલ કરી : “એલા, ઘોડે પલાણ નાખો. આરબને કહે કે મરફો કરે. આજ રાઠોડ ધાધલને માપી લઈએ, નીકર ગોંડળની બાદશાહી એને સોંપીને આપણે ચૂડિયું પહેરી લઈએ.”
ખોડાભાઈ ગઢવી પચાણજીની પાસે આવ્યા : આવીને કહે : “પચાણજી ઝાલા ! પધારો, રાઠોડ ધાધલ ક્યારના વાટ જોવે છે.”
“વાટ જોવે છે ? મારા આવવાની ખબર છે ?”
“હા; પણ, પચાણજીભાઈ, અમે ચાડ કરીને નથી આવ્યા; ધોળાએ આપણને ભેટાડી મારવાનું તરકટ ઊભું કર્યું છે. ધોળો બ્રહ્મહત્યાના સોગંદ ન દેત તો આપો રાઠોડ આવી હુજ્જત ન કરત.”
પચાણજી ઝાલો ખાનદાન માણસ હતા, “આપો વાટ જોઈને ઊભા છે,” એ વાત એના કાનમાં રણકી રહી. આપા