આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩
૨૨૨
- કરમાબાઈ સતી કે', સ્વામી તમે સત બોલ્યા,
- એ તો મારે મન ભાવ્યાં રે,
- જલદી કરો તમે સ્વામી મોરા રે,
- તમ થકી અમે ઓધરીએં રે. - એ હાલો હાલો૦
- ધન્ય ધન્ય સતી તારાં માતપત્યાને,
- અમને ઉપમા આવી દીધી રે,
- કાઠી સાંસતિયો, સધીર વાણિયો,
- ત્રીજો જેસલ દીધો તારી રે. – એ હાલો હાલો૦
- શ્રી ભાગવતમાં રાણી આવું બોલ્યા રે,
- કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,
- કોટિક્લપ કુંભીપાકમાં રાખશે,
- પછે [૧] ઊંચ ઘેર અવતાર દેશે રે. – એ હાલો હાલો૦
- જેઠો મોવડ કે એ મેં સાંભળ્યું,
- નવ નવ વરસે લગન લેશે રે,
- વરસ અગિયારમે ચૂડાકર્મ કરશે,
- એ નારી કેમ ઓધરશે રે. - એ હાલો હાલો૦
- એક અસ્ત્રીને તરવાનો રસ્તો,
- હરિગુણ હૈયામાં રાખે રે,
- પોતાના પિયુજીને શિવ કરી માનશે,
- તેને ત્રિકમજી લેશે તારી રે. – એ હાલો હાલો૦
- રામનુ નામ રુદામાં રાખજો,
- શામળેા કરશે સારું રે,
- ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,
- પ્રભુ અમને પાર ઉતારે રે, – એ હાલો હાલો૦
- ↑ * પોતાના પતિથી ઠગાઈ રમનાર સ્ત્રીને પ્રભુ મોટા માણસના ઘરમાં અવતાર દેશે એટલે કે સ્ત્રી ત્યાં બાળલગ્ન અને ફરજિયાત વૈધવ્યથી દુ:ખી થશે.