આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૧૧૭
દુનિયાએ અળગો કીધો,
તે કરવા પ્રિય વધુ આજ,
વહાલાંએ ઘા ઉર દીધો,
તે ચુંબન કરવા કાજ ;
તેં સ્નેહસુધારસ પીધો,
લઈ પ્રભુઘેલાંનો સાજ :
જો, પ્રભુએ ખોળે લીધો
ને શિર મૂક્યું સુરતાજ ! ૮
જન્મે જન્મે ઉર કસવું,
એ છે વિધિની શુભ નેમ,
જોવા અંધારે ધસવું,
લેવા ખોવું જગક્ષેમ ;
દુનિયામાં દુઃખે હસવું,
ને સુખમાં રડવું તેમ :
વહાલા, વિભુઉરમાં વસવું
તું સમજ્યો સાધી પ્રેમ. ૯
દિનઉરની શોભા ખોલે
સૂર્યાસ્તે ભર આકાશ,
જીવન જ્યાં ચઢતું ઝોલે
ત્યાં આત્મા ભરે મીઠાશ;