આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પણ નહિ આશ્રય અન્ય અવતારજી, કેવલ ભજવા નંદકુમારજી;
તે કયમ કહીએ મતિઅધિપજી ? તારતમ્ય શો વહ્નિદીપજી ? ૨
ઢાળ
કહો દીપક વહ્નિ ભેદ શો? સમજાવીએ મુજ સ્વામી;
સુણી આચાર્ય એમ વદ્યા સૂક્ષ્મ સમજી અંતર્યામી. ૩
સુણ થીજીથી અવતાર સહુ, પણ કારજ કારણ ભેદ;
કો કળા અંશાવેશ વિભૂતિ કૃષ્ણ અલમ્ કહે વેદ. ૪
જે પતંગ સરખા પ્રેમી અનલ ન જ્યોત વેહેરો કોય;
પણ રસિક ટેકી ચકોર વણ અંગાર તૃપ્તિ ન હોય. ૫