પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



તારાબાઈએ પરસ્પર સલાહ લઈને નક્કી કર્યું કે, કોઈ પણ યુક્તિ રચીને પઠાણોના સરદાર લલ્લાને પહેલાં ઠાર કરવો જોઈએ.

મહોરમનો દિવસ હતો. ટોડા શહેરમાં બધા મુસલમાનો એ તહેવારમાં મસ્ત હતા. તાજિયા લઈને મુસલમાનોના ઝુંડનાં ઝુંડ ગામમાં પ્રવેશ કરી રહ્યાં હતાં. પૃથ્વીરાજને માટે ગામમાં પ્રવેશ કરવાનો એ ઘણો સરસ લાગ હતો. પોતાના સૈન્યને બહાર રાખીને એમાંથી એક વિશ્વાસુ સેવકને લઈને પૃથ્વીરાજ તથા તારાબાઈ ગુપ્ત વેશે તાજિયાવાળાઓની સાથે ગામમાં પેસી ગયાં, તાજિયાની સાથે જવા માટે પઠાણ રાજા લલ્લા પણ પોતાના મહેલ આગળ સફેદ પોશાક પહેરીને ઊભો હતો, પૃથ્વીરાજ અને તારાબાઈએ તેને જોતાંવારજ તીક્ષ્ણ બાણ ફેંક્યા. એ બાણ વાગવાથી લલ્લા જમીન ઉપર પડી ગયો. બધાએ ભયભીત થઈને કોલાહલ મચાવ્યો. એ ગડબડનો લાભ લઈને પૃથ્વીરાજ, તારાબાઈ અને તેનો અનુચર પૂરપાટ ઘોડા દોડાવીને ગામની બહાર જવા લાગ્યાં. ઘણા લોકોએ તેમના ઉપર શક જવાથી તેમને રોકવાનો યત્ન કર્યો, પરંતુ એ બધાને હઠાવીને તેઓ આગળ વધતાં ગયાં. શત્રુઓએ ફેંકેલાં બાણ તેમના બખ્તરને અથડાઈને જમીન ઉપર પડવા લાગ્યાં. નગરના દ્વા૨ આગળ જઈને તેમણે જોયું કે, એક મદોન્મત્ત હાથી રસ્તો રોકીને ઊભો છે. તેની આગળ થઈને જવું જોખમભરેલું હતુ. તારાબાઈએ પોતાની તલવારથી એ હાથીની સૂંઢ કાપી નાખી. હાથી દૂર નાઠો એટલે રસ્તો ખુલ્લો થયો અને તેઓ સહીસલામત બહાર નીકળી ગયાં.

તેમનું ઘોડેસવાર લશ્કર પાસેજ હતું. પૃથ્વીરાજ અને તારાબાઈએ સૈન્ય લઇને પ્રબળ વેગથી ટોડા નગર ઉપર ચડાઈ કરી. નગરવાસીઓ યુદ્ધને માટે બિલકુલ તૈયાર નહોતા. અધૂરામાં પૂરૂં તેમનો પઠાણ સરદાર મરી જવાથી બધે ગભરાટ ફેલાયો હતો. આવી સ્થિતિમાં ઓચિંતો હુમલો થવાથી પઠાણોની હાર થઈ. રાવ રત્નસિંહના નામથી પૃથ્વીરાજ અને તારાબાઈએ ટોડા નગ૨ ઉપર વિજયવાવટો ચડાવ્યો. રત્નસિંહે વગર વિલંબે પોતાની કન્યા તારાબાઈનો વિવાહ ઘણી ધામધૂમપૂર્વક પૃવીરાજ સાથે કરી દીધો.

કમલનેરના કિલ્લામાં રાણા રાયમલે પુત્ર અને પુત્રવધૂનો