१६७–मीरांबाई
ર જપૂતાનામાં મેડતા નામનું એક નાનું સરખું ગામ છે. બિકાનેરથી જોધપુર જતાં એ ગામ રસ્તામાં આવે છે. આ ગામમાં રાઠોડવંશના રાજા રાજ્ય કરતા હતા. જોધપુર શહેરને વસાવનાર રાવ જોધાજીના પૌત્ર રાવ રત્નસિંહ મેડતામાં વિક્રમના સોળમા સૈકામાં રાજ્ય કરતા હતા. એ રાવ રત્નસિંહ મીરાંબાઈના પિતા થાય, મીરાંબાઈનો જન્મ મેડતાના તાબામાં આવેલા ચાકડી નામના ગામડામાં થયો હતો.
જગતમાં જે પૂજ્ય સન્નારીઓ સગાંસંબંધી અને જનસમાજના અત્યાચારને સહન કરીને પણ ભગવાનને પ્રાપ્ત કરવા સારૂ કઠણ સાધના કરી ગઈ છે, તે સન્નારીઓમાં મીરાંબાઈનું નામ ઘણે ઊંચે દરજ્જે બિરાજે છે. મીરાંબાઈના જન્મથી ભારતવર્ષની સ્ત્રી જાતિનું ગૌરવ વધ્યું છે.
મીરાંબાઈનો જન્મ ઈ. સ. ૧પ૦૪ ની લગભગમાં માનવામાં આવે છે. મીરાંબાઈની જનની ઘણીજ ધર્મપરાયણ સ્ત્રી હતી. માતાના શિક્ષણ તથા ઉદાહરણથી મીરાંબાઈના કોમળ હૃયમાં ધર્મનાં બીજ બાલ્યાવસ્થાથીજ અંકુરિત થયાં હતાં.
મીરાંબાઈ જ્યારે બાલિકા હતી, ત્યારે તેના મહેલ આગળ થઈને એક દિવસ લગ્નનો વરઘોડો જતો હતો. એ વરઘોડો જોવા સારૂ આખા ગામની છોકરીઓ અગાશી ઉપર ચડી હતી. એ વખતે એકાંતનો પ્રસંગ જોઈને મીરાંબાઈની માં નીચે ઠાકોરજી.નાં મંદિરમાં જઈને પૂજા કરવા બેસી ગઈ. ભગવાનની પૂજા કરવામાં તેને એ આનંદ આવ્યો કે, વરઘોડો જોવા જવાની તેને જરા પણ ઈચ્છા થઈ નહિ.
માતાને આ પ્રમાણે ભગવાનની પૂજામાં તન્મય થતી થઈને, મીરાંબાઈનું ચિત્ત પણ રમતગમત ઉપરથી ઊઠી ગયું.