પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



१०६–अक्कादेवी


ગુપ્તવંશી રાજાઓનું મહારાજ્ય નષ્ટ થયા પછી હિંદુસ્તાનમાં જે અનેક રાજવંશીઓએ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી, તેમાંના કોઈએ સોલંકીઓના જેવું પ્રભાવશાળી અને વિસ્તારવાળું રાજ્ય સ્થાપ્યું નહોતું. આપણા દેશના ઘણા રાજવંશોનો પ્રાચીન ઇતિહાસ મળી આવતો નથી, પણ સદ્‌ભાગ્યની વાત છે કે સોલંકી વંશના ઘણા રાજાઓ વિદ્યાના શોખીન અને વિદ્વાનોના આદરસત્કાર તથા વિદ્યાની વૃદ્ધિ કરનારા થઈ ગયા છે; આથી તેમની પ્રશંસામાં લખેલાં અનેક પ્રાચીન પુસ્તકોમાંથી એમનો થોડોએક વૃતાંત મળી આવે છે.

સોલંકી રાજપૂતો પોતાને અગ્નિવંશી ગણે છે અને વસિષ્ઠ ઋષિદ્વારા તેમનો મૂળ પુરુષ ચૌલુક્ય અથવા ચાલુક્ચ આબુ પર્વત ઉપર દુપન્ન થયો હતો, એમ માને છે.

જૂનાં તામ્રપત્રો, શિલાલેખ તથા પુસ્તકો ઉપરથી જણાય છે કે, સોલંકીઓનું રાજ્ય પહેલાં અયોધ્યામાં હતું. ત્યાંથી તેઓ દક્ષિણમાં ગયા. ત્યાંથી પાછા ગુજરાત, રજપૂતાના, વાઘેલ ખંડ આદિ દેશોમાં ફેલાયા.

જે સન્નારીનો ટૂંકો પરિચય આ ચરિત્રમાં અમે આપવા માગીએ છીએ, તેનો જન્મ દક્ષિણના સોલંકી રાજવંશમાં થયો હતો. એ સત્યાશ્રય રાજાના નાનાભાઈ દશદર્માની પુત્રી અને વિક્રમાદિત્ય પાંચમાની બહેન થતી હુતી. સત્યાશ્રય રાજાનું મૃત્યુ વિક્રમ સંવત ૧૦૬૫, ઈ૦ સ૦ ૧૦૦૯ ની લગભગમાં થયું હતું અને તેને કોઈ પુત્ર ન હોવાથી તેની ગાદી તેના ભત્રીજા વિક્રમાદિત્યને મળી હતી. અક્કાદેવીની માતાનું નામ ભાગ્યવતી હતું. કેટલીક જગ્યાએ તેનું નામ ભાગલદેવી પણ લખ્યુ છે.

અક્કાદેવીને તેનાં માતાપિતા તરફથી સારૂં શિક્ષણ મળ્યું હતું. એ ઘણી વીર પ્રકૃતિની સ્ત્રી હતી. રાજકાર્યમાં પણ એ ઘણી નિપુણ

૨૧૪