આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
214
સમરાંગણ
 

 ફતેહમાં બાકી શી રહી ! આપી દિયો વચલી જગ્યા.”

વજીરે પાછો ઘોડો દોટાવ્યો. મહંતને જામનો અહેસાન-બોલ કહ્યો; ને નક્કી કરેલી જગ્યા રોકવા એક હજાર નાગડા ચાલ્યા ત્યારે ઘેરા શંખનાદ થયા. તૂરીભેરીની ઘોષણા ઊઠી.

જમાત ગયા બાદ યોગીએ વજીરને વીનવ્યા : “થોડી ઘડી મારા થાનકમાં બેસશો ? ગોષ્ઠિ કરવી છે.”

જોગીના તંબૂમાં બે સ્ત્રીઓ બેઠી હતી. જોગીરાજ જેસા વજીરને એમાંની જે વૃદ્ધા હતી તેની નજીક લઈ ગયા. પૂછ્યું : “પિછાન પડે છે ?”

સફેદ વસ્ત્રમાં ઢંકાયેલો સુકાયેલો દેહ, એની ઊંચાઈ માત્રથી જ વજીરને કૌતુકવશ બનાવી રહ્યો. એ દેહ સળવળતો. હતો. એણે વજીરની સામે જોયું. એ નજરમાં ઊંડી કંદરાઓ હતી.

વજીરે ફક્ત આટલું જ કહ્યું : “વાહ ! વિશ્વંભરની ઇચ્છા.”

“આપનો દફેદાર અંગરક્ષક ઓળખાયો છે ?”

“ના.”

“નાગનીની સીમમાંથી આ સગા હાથે ઉઠાવેલો ને બાર વર્ષ ઉછેરેલો એ તમારો વિભૂતિહીન પુત્ર નાગડો વજીર. કાલે પ્રભાતે એને જુદ્ધ કરતો જોઈને નેત્રો ઠારજો.”

વજીરે ઢળેલું મસ્તક ઊંચકીને કહ્યું : “ખોવાયેલાં પાછાં મળ્યાંનો આનંદ થવાની મનની વેળા વીતી ગઈ છે, ગુરુદેવ ! હું અત્યારે જીવતો નથી. સુરાપુરાની ભોમમાં મારું થાનક ગોતું છું.” આ શબ્દો એણે પુરાણા સ્વરે જોમાબાઈને કહ્યા. અને પોતાના ભેદાતા કંઠને ફાટફાટ હાસ્યમાં દાટી રાખીને પીઠ ફેરવી.

“ઊભા રહેશો એક વાર ?” પીઠ પાછળથી પત્નીનો સાદ આવ્યો.

“કહો.” વજીર થોભ્યા, પણ પીઠ તો કોઈ દુશ્મનના ઝાટકાની સામે ઢાલ ધરી હોય એવી અદાથી ધરી રાખી.

“આને ય ઓળખી લઈને પછી ખુશીથી પધારો. આને નિહાળી ?