આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મણસા-મનથી
વયસા-વચનથી
કાયસા.- કાયાથી
(આ ત્રણ પ્રકારના યોગ છે. બે કરણને ત્રણ યોગથી ગુણતાં ‘છ કોટિ' એ પ્રત્યાખ્યાન થયા.)
તસ્સ-ભૂતકાળમાં જે કાંઈ પાપ-કર્મો કરેલા હોય તેનું;
ભંતે- ! હે પૂજ્ય ! (ગુરુદેવ !)
પડિક્કમામિ-પ્રતિક્રમણ કરું છું.
નિંદામિ-આત્મ-સાક્ષીએ નિંદા કરું છું.
ગરિયામિ -ગુરુ-સાક્ષીએ ગર્હા કરું છું.
અપ્પાણં-મારા આત્માને તે પાપ-વ્યાપારથી
વોસિરામિ.-વોસિરાવું છું, દૂર રાખું છું.

પાઠ : સાતમો : શક્રસ્તવ - સૂત્ર

“નમોત્થુણં” ની વિધિ : -

(ડાબો ઢીંચણ ઊભો રાખી, જમણો ઢીંચણ પૃથ્વી પર સ્થાપીને,
બે હાથ જોડી, મસ્તકે હસ્તાંજલિ અડાડીને ભાવવિભોર થઈને
ગુણગ્રામ કરવા.)

પહેલું નમોત્થુણં શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું.....
નમોત્થુણં - નમસ્કાર હો (“ણં” વાક્યના અલંકારાર્થે છે)
અરિહંતાણં- અરિહંત-
ભગવંતાણં.- ભગવંતોને. (ભગવંતો કેવા છે ?)
આઈ ગરાણં-શ્રુતધર્મની આદિ કરનારા, (પ્રથમ સ્થાપકો)
તિત્થયરાણં-ધર્મતીર્થ=ચતુર્વિધસંઘની સ્થાપના કરનારા,
સયં-સંબુદ્ધાણં.-પોતાની મેળે જ સમ્યગ્‌બોધને પામેલા,
પુરિસુત્તમાણં-પુરુષોમાં ઉત્તમ-શ્રેષ્ઠ,