આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
 

રઘુવશ જોરથી અવાજ કર્યો. આ આનાદ સાંભળી રાજાની દિષ્ટ એકદમ તે તરફ ખેંચાઇ અને હણે ગાય ઉપર બેઠેલા એક સિંહને જોયા. રાજા પત્તે ઉગામી ક્રુદ્ધ થયા અને તરતજ હૈને જમણે! હાથ ખાણના ભાથા તરફ ગયા. પરંતુ બાણ કાઢવાને બદલે, હવે હાથ ખાણુના છેડાનાં પીછાં ઉપર જ ચિત્રની માફ્ક સ્થિર થઇ ગયા. હવે હેના ક્રોધને પાર રહ્યા નહિ. હેની મુઝવણ પણ વધી પડી, અને હેની સ્થિતિ મંત્રથી હીનશક્તિ થયેલા સર્પના જેવી થઈ રહી. ઝાડને અંતે સિંહ મનુષ્યવાણીથી રાાને ઉદ્દેશીને કહેવા લાગ્યાઃ રાજન્ ! હૃથા શ્રમ કરશે! હિ. હમારા હાથ છૂટા હેત અને હમે મ્હારા તરફ ખાણુ કે કયું હાત, તે પણ તે વૃથા જ નિવડત. વટેાળીયા ઉખાડી નાંખે, પર્વત આગળ તા તે નકામા જ છે. હું સાધારણ સિંહ નથી-હારૂં નામ કુમ્ભાદર, હું ભગવાન શંકરને સેવક છું. જ્યારે ભગવાન નન્દી પર સ્વારી કરવા જાય છે ત્યારે પ્રથમ મ્હારી પીઠ પર પગ મૂકીને ચઢે છે. રાજન! પેલું દેવદાર વૃક્ષ જણાય છે, તે ભગવાનને બહુ પ્રિય છે; હેમનેા હેના તરફ પુત્ર સમાન પ્રેમ છે. સ્વયં પાતીદેવીએ પેાતાના હાથે પાણી પાઈ હૅને ઉછેર્યું છે. એક દિવસ એક જંગલી હાથીએ અહીં આવી પેાતાનું ગ ડસ્થળ એના થડ સાથે ધસ્યું, તેથી એની છાલ ઉખડી ગઇ. આથી દેવીને પેાતાના પુત્ર કુમારને ઘા વાગ્યેા હાય એટલું દુ:ખ થયું. તે દિવસથી ભગવાને મ્હને સિંહ બનાવી આ વૃક્ષના રક્ષણ માટે નીમ્યા છે અને આજ્ઞા કરી છે કે ‘ જે કાઇ પ્રાણી આ ભાગમાં આવી ચઢે હેનું હારે ભક્ષણ કરવું. ' માટે ભગવાનના આદેશ અનુસાર આ ગાય મ્હારા ભાગ્યમાં આજે આવી પડી છે અને હેના દેહ વડે હું મ્હારી સુધાને શાંત કરીશ. રાજન્ ! માટે અંતરમાંથી સઘળી લજ્જા કાઢી નાંખી ઋષિના આશ્રમે પાછા જાએ. એથી ગુરુ તરફ હમારી ભક્તિ એછી છે એમ કાઈ કહેનાર નથી; કારણ કે જે વસ્તુનું રક્ષણ શસ્ત્રથી પણ શકય નથી હેમાં ક્ષત્રિય શું કરી શકે એમ છે ?’’ આ પ્રમાણે સિંહની હિંમતભરી મનુષ્યવાણી સાંભળીને રાજાને પ્રથમ તેા આશ્રય થયું; અને ભગવાન શંકરના પ્રતાપથી પેાતાની આવી સ્થિતિ થઇ છે એમ જાણી હેની અપમાનની લાગણી જરા દૂર થઇ; તે પણ આ પહેલી જ વાર પેાતાને શસ્ત્રપ્રયાગ નિષ્ફળ ગયા છે એમ જાણી હેને જરા ખેદ થયા. અંતે તે સિંહ પ્રત્યે કહેવા Heritage Gandhi CC Portal