શકું૦ — ત્યારથી તેનામાં ગયેલા અભિલાષે હું આવી અવસ્થાને પામીછું.
રાજા—(સ્વગત-હરખે) સાંભળવાનું હતું તે સાંભળી લીધું
શકું૦— તો, જેમ તમારૂં અનુમત તેમ હું વર્તીશ, કોઈ પ્રકારે પણ તે રાજર્ષિની મારા પર દયા થાય; નહિં તો અવશ્ય તમે મને તિલોદક આપ્યું જાણજો.
રાજા —(સ્વગત) વાહવા, આ વચને તો મારો સંશય છેદી જ નાંખ્યોને.
પ્રિયં૦—(હળવે) અનુસૂયા ! એ અતિ વધીગયેલા કામવાળી બહુકાળ જવો ખમી શકશે નહિં. જેના ઉપર એનું મન લાગ્યુંછે તે પૌરવકુળનું આભૂષણ છે તો તેની સખીની ઇચ્છાને અનુમોદન આપવું એ યુક્ત છે.
અન૦ — (હળવે) તું કહેછે તેમજ.
પ્રિયં૦— (શકુંતલાને) સખી ! તારી ઇચ્છા યોગ્ય પુરૂષ ઉપર થઈ છે. મહાનદી સાગરને મૂકી બીજે ક્યાં ઉતરવાની હતી ? ને માધવીલતાનો અંગિકાર આંબા વિના બીજો કોણ કરે ?
રાજા—(સ્વગત) એમાં શું આશ્વર્ય ? નક્ષત્ર વિશાખા તે ચંદ્રકળાનેજ અનુસરતું ચાલે છે.
અન૦— પ્રિયંવદા ! કીઓ ત્યારે ઉપાય કે જેણે વિલંબ ન લાગતાં ને કોઈના જાણ્યામાં ન આવતાં આપણી સખીનો મનેારથ પાર પડે ?
પ્રિયં૦— કોઈ ન જાણે એને માટે વિચાર કરવાનો પણ વિલંબ ન લાગે તેવો તે સેલો છે.
અનુ૦— તે કેમ ?
પ્રિયં૦— તે રાજર્ષિયે પણ એના ભણી સ્નેહભરી દૃષ્ટિયે પોતાની ઇચ્છા જણાવી છે; તે પણ રાત દહાડો નિદ્રાવિના જાગ્રણે લેવાઈ ગયલો દેખાયછે.
રાજા—(સ્વગત) ખરે હું સૂકાઈ તો ગયો જ છું.
પ્રિયં૦ —(વિચારીને) એણે મદનલેખ કરવો, હું તેને ફૂલમાં સંતાડી દેવના (______) મષે રાજાને હાથોહાથ આપીશ.
અનુ૦—( )આપેલો એ ઉપાય મને ગમ્યો ; શકુંતલા કાંઈ બીજું
શકું૦- (_____)પર મારે શું વિચારવાનું છે?