આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮

તોડી પાડવો હોય ત્યારે દરવાજાની અને તેને તોડનાર હસ્તીના કુંભસ્થળની વચ્ચે ઉંટ રાખવું જોઈએ કે અતુલ બળ અને અનેક લક્ષ્મીના સ્થળરૂપ કુંભસ્થળમાં દરવાજામાં ધારવાળા ખીલા પેસી ન જાય અને ઉંટના નાશથી જે કામ થાય તેમાં હસ્તીનું બળિદાન આપવું ન પડે."

મલ્લરાજ – “ એ દૃષ્ટાંત કાંઈ લાગતું નથી.”

જરાશંકર – “હસ્તી તે આપ અને ઉંટ તે આપનો પ્રધાન. મહારાજ, પારકા રાજાઓ સાથે તેમાં પોતાનાં રાજ્યમાં અનેક પ્રસંગો એવા આવે છે કે તેમાં કાર્યસિદ્ધિને અર્થે શત્રુના તેમ પ્રજાના શાપ અને પ્રહાર કોઈએ તો ખમવા જ જોઈએ, રાજ-હસ્તીનો દેહ આ શાપ અને પ્રહાર ખમવા જયાં ત્યાં આગળ ધરવો એ અનર્થ નીતિવિદ્ધ છે. *[૧] એ દેહ તો અત્યંત ગૌરવના કોઈ વિરલ પ્રસંગના વાસ્તે રત્ન પેઠે રક્ષણ કરી રાખી મુકવો જોઈએ અને આવા ઘડી ઘડી આવતા પ્રસંગોમાં તો આ પ્રહારો અને શાપોની વૃષ્ટિ વચ્ચે મ્હારા જેવાં ઉંટને જ ધક્કેલી દેવાં જોઈએ કે એક ગયું તો બીજું સંપાડાય. પ્રધાન એ રાજાની ઢાલ છે, કવચ છે, અને રાજાના ઉપર પડવાના પ્રહાર પોતાના અંગ પર જે પ્રધાન ઝીલતો નથી તે પ્રધાન રાજાનો અને રાજ્યનો અધર્મી શત્રુ છે. આપ જ ક્‌હેતા હતા કે વીલાયતમાં પણ 'રાજા પાપ કરતો નથી.'[૨] એવો સંપ્રદાય બ્રેવ સાહેબે આપને સમજાવેલો હતો. રાજાને હાથે તો યશનાં કાર્ય જ સોંપવા – તે સર્વને


  1. *The personalities of the present ministers are so insignificant, the covering shield they present is so transparent, that the monarch himself always shines through them. It appears to me dangerous for the future of the monarchical idea for a ruler, even with the best intentions, to show himself too frequently in public without a decent ministerial covering. Because this danger seems to me imminent and a fight with men of straw has no charms for me, I say, like Chamisse when the French were in Germany,
    “The situation has no sword for me."
    – BISMARCK.
  2. “The King commits no sin.”