આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- "અંગજવરને અનંગ ગણે છે-
- “એ તો કામ નહીં નિષ્કામ;
- “પશુ એ તો, ન પાવનપાદ;
- “એ અસુર, સુરેશ નહી એ;
- “એ તો તિમિર, પ્રકાશ નહી એ;
- “દેવ હૃદયનો સ્નેહ તે જુદો,
- "અશરીર પ્રીતિને કામ કેવો ?
- “પ્રીતિ અશરીર જીવે જીવોમાં,
- "ઈશ પોતે ધરે પ્રીતિ સઉમાં.
- “સંપ્રસાદ જે બોધસ્વરૂપ
- “તે તો સાત્ત્વિક પ્રીતિનું મૂળ.
- “ત્યાગી જન જે ધરે સત્સંગ,
- “તેનું પ્રીતિ અનંગ જ અંગ.
- “ઈશજીવની પ્રીતિ થતી જે
- “સુધારયન્દિની ભક્તિ થકી તે.
- “પ્રીતિ, અશરીર એવી હું ધારું;
- "સુજી ઈશે તે કેમ નિવારું ?
- “પ્રીતિભાજન એક જે પામી
- “રંક કુમુદ, તે છે નભચારી !
- “સુધાકિરણ ઝરો ! ભગવાન !
- “શાંત એકાંત દે પ્રીતિદાન !
- “માગું અશરીર બેધપ્રબોધ !
- “પુરો પાડો વિશુદ્ધ જ લોભ !
- “યોગી ! યોગ પામી જેનો સિદ્ધ
- “બને નીરનિધિ ગમ્ભીર,
- “તેને તીરે આવી હું સરિતા,
- “છોડી નગ[૧], તોડી ઢગ રેતીના !
- “પૂર લાંબે છેટેથી આવ્યું !
- “રહ્યું એ નહી કોઈનું રાખ્યું !
- “જુવે વાટ ભરતીની એ એક;
- “રચે વિશ્વમ્ભર સંકે...ત !...”
- ↑ ૧. પર્વત.