આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫

છે માટે – ચંદ્રાંતક સૂચવે છે તેવો સંબંધ, એમનો અને આપણો, સ્પૃહણીય છે. ”

“નૈરાશ્યદૃષ્ટ અવસ્થાઓનાં કારણ વિચારતાં જેવા આ પ્રતીકારક*[૧] ધર્મ છે તેવા જ આશાદ્દ્ષ્ટ અવસ્થાઓનાં કારણ વિચારતાં બીજા ઉd`ભાવક†[૨] ધર્મ છે. ઉd`ભાવક† એટલા માટે કે ચક્રવર્તીનું પોષણ કરી અમારી ડબાતી ચંપાતી સંપત્તિઓના સ્વતંત્ર અને પ્રફુલ્લ રૂપનો ઉદ્દભવ એ ધર્મના જ પાલનથી છે."

વીરરાવ હસતો હસતો બોલ્યો. “સાહેબ ચક્રવર્તીનું પોષણ રખે ભુલતા – ભુલશો તો શંકરશર્માનો રાજદ્રોહ આવી જશે. ”

રાણો ખાચર – પ્રધાનજી, વીરરાવ તમને પણ મુકે એમ નથી.

વિધાo–“ એ મુકે, પણ અમે એમનાથી મુકાઈએ તેમ નથી, વીરરાવજી, રાજદ્રોહ હો કે ન હો, પણ તમે એક વાત કબુલ કરશો કે ન્હાના વ્યાપારીએાથી મ્હોટા વ્યાપારીએાના જેવાં કામ કદી થવાનાં નથી. તેમને તે જાઈંટ સ્ટાક કંપનીમાં ભળવાથી જ મહાવ્યાપારમાં ભાગ લેવાનો સંભવ, અને એવી કંપનીમાં ઈંગ્રેજ જેવા અગ્રણી-વ્યાપારીની આવશ્યકતા.”

વી૨o– તે તમે રાજાઓની કંપની મળી શાં કામ કરવાનાં હતાં? ને હોય તો તેમાં ન્હાના રાજાઓની કંપની કયાં બસ નથી કે ચક્રવર્તી શોધવો પડ્યો ? ”

વિધાo- “હિમાલયના બે સ્કંધ આગળ બે મહારાજ્યો આ દેશને ડાબી દેવા ઉભાં છે. તેમનો પ્રતીકાર કરવો એ પ્રથમ વ્યાપાર – તે ચક્રવર્તી વગર કદી બને નહી.”

વીરo– “તે તમારે તે એક ધણી ગયો તો બીજો આવશે – નાતરીયા નાતમાં રંડાપાની બ્હીક શી ?”

વિદ્યાચતુર હસતો હસતો બોલ્યોઃ “જેની સાથે આટલો લાંબો સહવાસ થયો, જેણે અમારો આટલો નિર્વાહ કર્યો, જેના ગુણદોષ અમે સમજીએ છીએ, જેની સાથે લ્હડતાં ઝઘડતાં અમે આટલો સંસાર સુખથી નીભાવ્યો, તેવા જુના ધણીને મુકીને નવા અજાણ્યા માણસ સાથે નવો સંસાર માંડવાની ઈચ્છામાં કાંઈ ડહાપણ છે ? એ ધણી જાય તો તો અમારા તમારા ચુડા સાથે ભાંગે – માટે આટલો રેલો તો, તમારી પોતાની તળેના રેલાના અનુભવથી અમારી તળેનો પણ સરખો સમજી લેવો.”


  1. *Remedial,
  2. †Creative, constructive,