આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
ખેડા સત્યાગ્રહ – ૧


“. . . જમીનમહેસૂલ ભરી દેવામાં જે લોકો ઢીલ કરશે તેમની મિલકત અને વતન કાયદાની રૂએ જપ્ત થઈ હરરાજ થઈ જશે.”

સભાના મંત્રીઓએ તા. ૧૦મીએ કમિશનરને કાગળ લખી મુલાકાતનો વખત માગ્યો અને ‘ખેડા જિલ્લાની પ્રજાને ખબર’ની પત્રિકા તેમણે તે જ દિવસે છપાવીને ખેડા જિલ્લામાં વહેંચવા માટે કાર્યકતાઓને આપી દીધી હતી તેની એક નકલ જાણ માટે સાથે મોકલી. કમિશનરે જવાબ આપ્યો કે પોતે મંત્રીઓ સાથે ‘વાત કરવા’ માગે છે અને તા. ૧૧મીએ સવારમાં નવ વાગ્યે મળવું. તેમણે મંત્રીઓને જ મળવા જણાવેલું છતાં રૂબરૂ વિનંતી કરતાં બધાની મુલાકાત લેશે એવા વિચારથી બીજા સભ્યો પણ ત્યાં ગયા અને કમિશનરને ખબર આપી. કમિશનરે ચિઠ્ઠી લખી જવાબ આપ્યો કે, “સભાના મંત્રીઓ સિવાય બીજા કોઈને હું મળવા ઇચ્છતો નથી.” એટલે મંત્રીઓ શ્રી કૃષ્ણલાલ દેસાઈ અને શ્રી દાદાસાહેબ માવળંકર તેમને મળવા ગયા. તેમને કલેક્ટર સાથે થયેલા સંવાદમાંથી મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે:

શ્રી માવળંકર: ખેડા જિલ્લામાં જમીનમહેસૂલ ઉઘરાવવામાં આજકાલ સખ્તાઈના ઇલાજો લેવાય છે એવી ખબર મળવાથી તમારી પાસે આવવાની જરૂર પડી છે.
મિ. પ્રૅટ: તમે આજકાલના ઊછરતા ‘પોલિટિશ્યનો’એ આ નોટિસ બહાર પાડી છે, પણ તેની જવાબદારી તમે સમજો છો?
શ્રી દેસાઈ: હા, આ ખબર અમે આપી છે.
મિ. પ્રૅટ: તમે એ વહેચાવી દીધી?
શ્રી માવળંકર: હા, ગઈ કાલે ખેડા જિલ્લામાં મોકલી દીધી છે.
મિ. પ્રૅટ: (માવળંકરને) તમને ખોટું ન લાગે તો પૂછું કે તમારી ઉંમર કેટલી છે?
શ્રી માવળંકર: ત્રીસની.
મિ. પ્રૅટ: હજી તમે બહુ જ કાચી ઉંમરના છો, બિનઅનુભવી છો. હજી તમારી જવાબદારી તમે પૂરેપૂરી ન સમજી શકો. કદાચ તમારા પ્રમુખ(ગાંધીજી)ને જણાવ્યા વિના તમે આ નોટિસ બહાર પાડી દીધી છે.
શ્રી માવળંકર: તેઓ જાણે છે એટલું જ નહીં, પણ તેમની સૂચનાથી જ તે બહાર પાડવામાં આવી છે.
શ્રી દેસાઈ: એનો મુસદ્દો ગાંધીજીએ જ કરેલો છે.
મિ. પ્રૅટ: હું દિલગીર છું. પણ ખેડા જિલ્લામાં યોગ્ય વહીવટ કરવાની કુલ જવાબદારી ત્યાંના કલેક્ટરની છે. આ નોટિસથી એમના હુકમનો અનાદર કરવાનું તમે ખેડૂતોને કહો છો, એ તમે સમજી શકો છો?
શ્રી માવળંકર: અમારો હેતુ એવો નથી. આ નોટિસ દ્વારા અમે તા માત્ર સરકાર તરફથી છેવટનો નિર્ણય થતા સુધી જમીનમહેસૂલ ભરવાનું