આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સરદાર વલ્લભભાઈ

નથી. એને બદલે મ્યુનિસિપાલિટીના કર ભરનારા શહેરીઓ તથા જનતાની સમજદારી ઉપર ભરોસો રાખવાનું એ વધુ પસંદ કરે છે.

૪. મ્યુનિસિપલ વિસ્તારમાં પ્રાથમિક કેળવણીનો ફેલાવો થાય તે માટે મ્યુનિસિપાલિટીની હદમાં રહેનારાઓ સરકારને કર ભરે છે તેમ જ મ્યુનિસિપાલિટીના વેરા પણ ભરે છે. મ્યુનિસિપાલિટી પ્રાથમિક કેળવણી પાછળ જેટલું ખર્ચ કરે તેની અડધી રકમની મદદ સાધારણ રીતે સરકાર આપે છે. એટલે કે એક વર્ષ માં જો એક લાખ રૂપિયા ખર્ચવામાં આવે તો પચાસ હજાર રૂપિયા સરકાર આપે છે અને પચાસ હજાર રૂપિયા મ્યુનિસિપાલિટી આપે છે. જે પચાસ હજાર રૂપિયા સરકાર આપે છે તે ત્યાંના રહીશોએ સરકારને જે કર ભર્યો હોય છે તેમાંથી જ આવે છે. એટલે જો મ્યુનિસિપાલિટી એ પચાસ હજાર લેવાનો ઇન્કાર કરે તો તેણે પ્રાથમિક કેળવણી પાછળ એટલી રકમ ઓછી ખર્ચવી જોઈએ અને એટલે દરજ્જે શહેરીએાનાં બાળકોની કેળવણી રખડાવવી જોઈએ અથવા શહેરીઓ પાસેથી એટલા રૂપિયા ઉઘરાવવા જોઈએ અને એટલે દરજ્જે શહેરીઓના ઉપર બેવડો બોજો નાખવો જોઈએ. આવી નીતિને પસંદ કરવી કે કેમ તે અમદાવાદ, સુરત અને નડિયાદના શહેરીએએ વિચારવું જોઈએ. તેમણે કાં તો પોતાનાં બાળકોની કેળવણી રખડવા દેવી રહી, કાં તો બાળકની કેળવણી માટે બેવડું ખર્ચ આપવું રહ્યું. જો આવી નીતિ તેમને પસંદ ન હોય તો પોતાની ના પસંદગી મ્યુનિસિપલ કાઉન્સિલરોને તેમણે જણાવી દેવી જોઈએ.
૫. ઉપર જણાવેલી ત્રણે મ્યુનિસિપાલિટીઓ બીજો એક અગત્યનો મુદ્દો એ વીસરી ગઈ લાગે છે કે બૉમ્બે ડિસ્ટ્રિકટ મ્યુનિસિપલ એક્ટમાં દર્શાવેલાં કામ માટે જ અને તેમાં જણાવેલી શરતોને આધીન રહીને જ કાયદા પ્રમાણે તેને ખર્ચ કરવાની સત્તા છે, બીજી રીતે નહીં. એટલે ઐક્ની કલમ ૫૮ની રૂએ જે નિયમો ઘડવામાં આવેલા છે તે નિયમોને વેગળા મૂકીને ચલાવેલી શાળાઓ પાછળ તેમણે જે ખર્ચ કર્યું હશે તે રકમ એક્ટની ૪૨મી કલમ પ્રમાણે તેમણે ખોટી રીતે વાપરેલી (misapplied) ગણાશે. દરેક કાઉન્સિલર જેણે આવું ખર્ચ કરવામાં હિસ્સો લીધો હશે તે એ રકમને માટે એ કલમમાં જણાવ્યા પ્રમાણે અંગત રીતે જવાબદાર થશે. જે કાઉન્સિલરોએ સરકારના અંકુશો ફગાવી દેવાની તરફેણમાં મત આપે છે તેઓ, જે કાંઈ ખર્ચ અધિકાર બહાર કરવામાં આવ્યું હશે તેમાં હિસ્સેદાર બન્યા છે. તેમણે વિચારી લેવું રહ્યું કે એક્ટની કલમ ૪૨ અનુસાર પેાતાની અંગત જવાબદારી વધાર્યો જવા દેવી કે કેમ ? આ ઉપરાંત તેમના ઉપર દાવો કરવામાં આવશે તો તેના ખર્ચ માટે પણ તેઓ જવાબદાર થશે. માટે પોતાની ઉપર દરરોજ વધતી જતી જવાબદારી આવી પડે એવા ઠરાવને રદ કરીને પોતાની સ્થિતિ કાયદેસર બનાવી લેવાને પગલાં લેવાનો તેમણે વિચાર કરવો જોઈએ.