આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
સાબરમતી જેલમાં


પછી વાંચ્યું, રવિવાર એટલે બધા કેદીને પાછી અઢી વાગ્યે કોટડીમાં પૂર્યા. આજે સાંજના પાંચ વાગ્યે બેઉ વૉર્ડરને બોલાવી લીધા. અને તેમને બદલે પોલીસને પહેરો મૂક્યો. સાંજના એકલું દૂધ લીધું. રાત્રે દસ વાગ્યે સુતા.

તા. ૧૭–૩-’૩૦ સોમવાર : સવારે ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના, કસરત, વાંચવાનું. સાત વાગ્યે દાતણપાણી. પછી રેંટિયો. અગિયાર વાગ્યે ભોજન કર્યું. ડૉક્ટર કાનૂગા, નંદુબહેન અને આનંદી આવ્યાં. જેલ સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં તેમની મુલાકાત થઈ. પછી અડધો કલાક સૂતો. પછી રેંટિયો ચલાવ્યો. સાંજના એક કલાક વાંચ્યા પછી ભોજન. રાત્રે દસ વાગ્યે સૂતી વખતે જુલાબ લીધો.

તા. ૧૮-૩-’૩૦ મંગળવાર : ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, વાચન, કસરત. છ વાગ્યે દાતણપાણી, નાસ્તો. પછી રેંટિયો. દસ વાગ્યે ભોજન. અગિયાર વાગ્યાથી બે કલાક રેંટિયો. પછી વાંચ્યું. ચાર વાગ્યે પાછું ભોજન. સાંજના એક કલાક ફર્યો. પછી પ્રાર્થના, વાંચવાનું. નવ વાગ્યે સૂઈ ગયો.

તા. ૧૯-૩-’૩૦ બુધવાર: પાંચ વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના. નિત્યક્રમ. ખેડાથી નકલો કાલે આવી તે માવળંકરને કાગળ સાથે મોકલાવી. બીજું હંમેશ મુજબ. આજે પેલા ચમારને બીજા વૉર્ડમાં લઈ ગયા.

તા. ૨૦-૩-’૩૦ ગુરુવાર : ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, વાચન, કસરત નિત્ય પ્રમાણે. પછી કાંત્યું. બાર વાગ્યે માવળંકર, મહાદેવ, દીવાન માસ્તર તથા મણિબહેન આવ્યાં. કલેક્ટરને ફરી કાગળ લખ્યો. પૂણી થઈ રહી તે મંગાવી. પેલા બાવાને અહીંથી ઇસ્પિતાલમાં લઈ ગયા, એટલે મારા સિવાય ત્રણ કેદી રહ્યા. પણ સાંજે પાંચ વાગ્યે બીજો એક કેદી જેને ૩૦૪ માં એક વર્ષની સજા થયેલી છે, તેને અહીં લાવ્યા.

‘વિશ્વભારતી’ મૅગેઝીન વિદ્યાપીઠમાંથી આવેલું, તે સુપરિન્ટેન્ડેન્ટ પાસે હતું તે મોકલ્યું. ‘પ્રસ્થાન’ તથા ‘મૉડર્ન રિવ્યૂ’ હજી તેની પાસે જ છે. તે આપતો નથી.

તા. ૨૧-૩-’૩૦ શુક્રવાર : ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના, કસરત, વાચન. દાતણપાણી, નાસ્તામાં એક કલાક. પછી દસ વાગ્યા સુધી રેંટિયો. સાડા દસે ભોજન. તેમાં એક કલાક. પછી પાછા બે વાગ્યા સુધી રેંટિયો. પછી એક કલાક વાચન. પછી આરામ. ભોજન પછી વાંચન. પ્રાર્થના. પછી એક કલાક ફર્યો. દસ વાગ્યા સુધી વાંચ્યું. આવતી કાલે કમિટી આવવાની હોવાથી, બધા કેદીઓની હજામત કરાવી.

તા. ૨૨-૩-’૩૦ શનિવાર : પાંચ વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, કસરત, નિત્યક્રમ. આઠથી દસ રેંટિયો. દસ વાગ્યે વજન લેવા ડૉક્ટર આવ્યા. ત્રણ રતલ ઓછું થયું. આજે સવારે ખાવાનું છોડી દીધું. અપચો લાગવાથી મોં આવેલું. ડૉક્ટરે કોગળાની દવા આપી. બપોરના ત્રણ કલાક રેંટિયો. સાંજના ખાવાનું છોડી દીધું.

તા. ૨૪-૩-’૯૦ સોમવાર: સવારે ચાર વાગ્યે ઊઠ્યા. બીજું હંમેશ માફક. બાર વાગ્યે દાદુભાઈ અને મણિબહેન મળવા આવ્યાં. આજે એક વાર ખાધું. સાંજના ફક્ત દૂધ લીધું.