આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
નરીમાન પ્રકરણ — ૨

કામ કરવાના ચોખ્ખા પંદર દિવસ સામે હતા. બીજું, મુંબઈ જેવા શહેરે સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડ પાસે ચૂંટણીના ખર્ચની આશા રાખવી એ બેહૂદી વાત છે.

સર કાવસજીની સામે ચૂંટણીમાં પોતે કામ કરેલું તેનો મોટો પુરાવો શ્રી નરીમાન એ આપે છે કે,

“સર કાવસજીના માણસો તરફથી કેટલાક મરી ગયેલા માણસોના ખોટા મતો નંખાવવાનો પ્રયત્ન થયેલો. તેનો પુરાવો મેં પકડી પાડેલો. જે પાંચ પારસી જુવાનોએ આવા ખોટા મતો નંખાવેલા તેમનાં નિવેદનો લઈને હું સરદાર પાસે ગયેલો. ત્યાં શ્રી ભૂલાભાઈ તથા શ્રી રાજગોપાલાચારી પણ બેઠેલા હતા. એ ત્રણની આગળ આ નિવેદનોના જોર ઉપર ચૂંટણી રદ કરાવવાની આપણે અરજી કરીએ, એમ મેં દરખાસ્ત મૂકેલી. મારી શરત એટલી જ હતી કે એ પાંચ જુવાનોનાં નામ કોઈ પણ રીતે બહાર ન આવવાં જોઈએ અને તેમના ઉપર ફોજદારી ગુનો કરવાનું કે બીજું કશું જોખમ ન આવવું જોઈએ. આવી જાતના તમામ જોખમમાંથી તેમને બચાવવાની ખાતરી આપીને જ હું તેમનાં નિવેદન લાવ્યો હતો. પણ સરદારે અને શ્રી ભૂલાભાઈએ ચૂંટણી રદ કરાવવાની અરજી કરવાની વાત સ્વીકારી નહીંં.”

આ વસ્તુનો સરદારનો જવાબ એ હતો કે નરીમાનની શરત સ્વીકારીને ચૂંટણી રદ કરાવવાની અરજી કરવી એ મૂર્ખાઈભરેલું હતું. આપણે આરોપ ગમે તેવા મૂકીએ પણ પેલા જુવાનો સાક્ષી આપવા ન આવે તો કેસ પુરવાર શી રીતે થાય ? અમે અક્કલ ગીરો મૂકી હતી કે કોર્ટમાં પહેલું તડાકે ઊડી જાય એવી અરજી કરવામાં હા ભણીએ ?

શ્રી નરીમાની છેલ્લી દલીલ એ હતી કે ૧૯૩૪ની ચૂંટણીમાં મેં જો કૉંગ્રેસને દગો દીધો હતો તો સરદારે તે વખતે મારા ઉપર એ આરોપ મૂકીને એની તપાસ કેમ ન કરાવી ? એટલું જ નહીં પણ એવા આરોપની સરદારે મને તે વખતે જાણસરખી કેમ ન કરી ? ત્યાર પછી પણ જવાબદારીનાં કામો સરદારે મને સાંપેલાં છે. આ બધા ઉપરથી જણાય છે કે ૧૯૩૭માં મને ધારાસભાના કૉંગ્રેસ પક્ષનો નેતા નહોતો ચૂંટાવા દેવો એટલે ૧૯૩૪માં મેં કૉંગ્રેસને દગો દીધો એવો આક્ષેપ તેમણે પાછળથી ઉપજાવી કાઢ્યો છે.

સરદારનો આ જવાબ એ હતો કે,

“મેં તો શ્રી લીલાવતી મુનશીને શ્રી નરીમાન મારી પાસે લઈ આવ્યા ત્યારે જ તેમની હાજરીમાં આ વસ્તુ કહેલી હતી. પણ શ્રી નરીમાન ઉપર કશો કિન્નો રાખ્યો ન હતો. ૧૯૩૪ ની ચૂંટણી વખતના તેમના વર્તનથી તેમનું માપ મેં કાઢી લીધું. એટલે જે કામને માટે તેઓ યોગ્ય હતા એવાં કામ હું તેમને સોંપતો રહ્યો. પણ તે વખતના મારા અનુભવ ઉપરથી મેં જોઈ