આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૧
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન


પ્રકરણમાં આપી દીધો છે. આ પ્રકરણમાં બીજા કેટલાક મહત્ત્વના પ્રસંગો વર્ણવીશું.

ઓરિસાના ગવર્નરની તબિયત સારી ન હોવાથી તેઓ મેની શરૂઆતમાં લાંબી રજા ઉપર જવા ઈચ્છતા હતા. તેમની જગ્યાએ કામચલાઉ ગવર્નર તરીકે એ જ પ્રાંતના રેવન્યુ કમિશનર મિ. ડેનની નિમણૂક કરવાનું તા. ૭મી માર્ચે જાહેર કરવામાં આવ્યું. આ વાતની ખબર પડતાં જ ઓરિસાના વડા પ્રધાને આ નિમણૂક સામે એવા કારણસર વાંધો ઉઠાવ્યો કે સરકારી ખાતામાં નોકરી કરતા અમલદારને, ભલે કામચલાઉ હોય તોપણ, ગવર્નર પદ આપવું યોગ્ય નથી. જે અમલદાર પ્રધાનના હાથ નીચે કામ કરતો હોય તેને થોડા વખત માટે પણ પ્રધાનની ઉપર બેસાડી દેવો એ બહુ અજુગતું છે. કારણ ગવર્નરનું પદ અમુક મોભાનું અને વિશેષ અધિકારનું છે. એટલે એ જ માણસ ફરી પાછો પોતાની જૂની નોકરી પર આવે ત્યારે તેની અને પ્રધાનની બંનેની સ્થિતિ કફોડી થાય. આરિસાના વડા પ્રધાને સરદારની અને ગાંધીજીની આ બાબતમાં સલાહ લીધી. તેમણે સલાહ આપી કે તમારો વાંધો ધ્યાનમાં લઈને ગવર્નરની નિમણુકમાં ફેરફાર કરવામાં ન આવે તો આખા પ્રધાનમંડળે રાજીનામું આપી દેવું. ત્યાર પછી વડા પ્રધાનને ગવર્નર સાથે કેટલોક પત્રવ્યવહાર ચાલ્યો. તેમાં કાંઈ વળ્યું નહીં એટલે તા. ૪થી મેએ બીજા બધા પ્રધાન તથા પાલમેન્ટરી સેક્રેટરીઓનાં રાજીનામાં લઈ વડા પ્રધાન ગવર્નરને મળવા સારૂં પુરી જવા નીકળતા હતા, ત્યાં જ ગવર્નરના સેક્રેટરીનો તાર આવ્યો કે ગવર્નરે રજા ઉપર જવાનું માંડી વાળ્યું છે. તે જ દિવસે ગવર્નર તરફથી નીચેની યાદી બહાર પાડવામાં આવી :

“ પોતાના અનુગામી માટે અસ્થિર રાજદ્વારી પરિસ્થિતિ ઊભી થાય એમ છે એ જોતાં ના. ગવર્નરને પોતાની મૂળ યોજના પ્રમાણે રજા ઉપર જવાનું યોગ્ય લાગતું નથી. પોતાને મળેલી રજા પ્રાંતના હિતની ખાતર રદ કરાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ માર્ગ નથી. રજા રદ કરવાની તેમની વિનંતી ગવર્નર જનરલની સંમતિથી સેક્રેટરી ઑફ સ્ટેટે માન્ય રાખી છે.”

આમ આ પ્રકરણ બહુ સારી પેઠે ઊકલી ગયું. ઓરિસાના વડા પ્રધાને આ વિષે પોતાનું નિવેદન બહાર પાડતાં જણાવ્યું કે,

"નામદાર ગવનરે બહુ કુનેહથી આ વસ્તુનો નિકાલ કર્યો છે. સૌને દુ:ખ થાય એવી જે કટેકટી ઊભી થાત તે તેમણે ટાળી છે. પાતાની તબિયતનો વિચાર કર્યા વિના આ કટોકટી ટાળવાની ખાતર જ નામદાર ગવર્નરે પોતાની રજા રદ કરાવી છે, તે માટે એમને ધન્યવાદ ઘટે છે. મિ. ડેન વિશે પણ મારે કહેવું જોઈએ કે અમારે કોઈને અંગત રીતે એમની સામે કશો વિરોધ નથી. તેઓ આ પ્રાંતના જૂના અને અનુભવી અમલદાર છે અને આ પ્રાંતની તેમણે