આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨
- “ મહેરબાન ઠાકોરસાહેબ,
- “આ કાગળ લખતાં સંકોચ થાય છે. પણ ધર્મ થઈ પડ્યો છે.
- “મારું અહીં આવવાનું કારણ આપ જાણો છે. ત્રણ દિવસ દરબાર વીરાવાળા સાથે વાતો થઈ. એમનાથી મને ભારે અસંતોષ થયો છે. એકેય વાત પર કાયમ રહેવાની શક્તિ એ ધરાવતા નથી, એવો આ ત્રણ દિવસના પરિચચ પરથી બંધાયેલા મારો અભિપ્રાય છે. મને લાગે છે કે એમની દોરવણીથી રાજ્યનું અહિત થાય છે.
- “હવે આ કાગળના હેતુ ઉપર આવું. વર્ધા છોડતાં મેં એ નિશ્ચય કર્યો હતો કે આપે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવ્યા વિના હું રાજકોટ નહીં છોડું. પણ મારે અહીં એકબે દિવસ કરતાં વધારે રહેવું પડશે અથવા મારી ઉપર જે વીતી છે એ વીતશે એમ મેં નહોતું ધાર્યું.
- “હવે મારી ધીરજ ખૂટી છે. જો બની શકે તો મારે ત્રિપુરી જવું જોઈએ. હું ન જાઉં તો હજારો કાર્યકર્તાઓ નિરાશ થાય અને લાખો દરિદ્રનારાયણ વ્યાકુળ બને. એટલે આ વેળા મારે સારુ વખતની બહુ કિંમત છે.
- “તેથી આપને વીનવું છે કે, આપ નીચેની સૂચનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરી મને ચિંતામુક્ત કરો અને અહીંથી કાલે વિદાય કરો.
- “૧. નં. ૫૦. ૨૬–૧૨–’૩૮ના ગૅઝેટમાં આપની જાહેરાત છે તે કાયમ છે એમ ફરીથી પ્રજાની આગળ જાહેર કરો.
- “૨. આપના નં. ૬૧ તા. ૨૧–૧–’૩૯ના ગેઝેટની જાહેરાત રદ કરો.
- “૩. સુધારાસમિતિનાં સાત નામ આપે જાહેર કર્યા છે. તેમાંનાં ૨, ૩, ૫ અને ૭ રહેવા દઈને રાજકોટ પ્રજાપરિષદ વતી બીજાં નીચેનાં નામોનો સ્વીકાર કરો :
- “૧. નં. ૫૦. ૨૬–૧૨–’૩૮ના ગૅઝેટમાં આપની જાહેરાત છે તે કાયમ છે એમ ફરીથી પ્રજાની આગળ જાહેર કરો.
- ૧. શ્રી ઉછરંગરાય ન. ઢેબર
- ૨. શ્રી પોપટલાલ પુ. અનડા
- ૩. શ્રી વ્રજલાલ મ. શુક્લ
- ૪. શ્રી જેઠાલાલ હ. જોશી
- ૫. શ્રી સૌભાગ્યચંદ વી. મોદી
- ૧. શ્રી ઉછરંગરાય ન. ઢેબર
- “આ સૂચનાના ગર્ભમાં હેતુ એ છે કે રાજકોટ પ્રજાપરિષદની બહુમતી રહે. મજકૂર નવમાંથી શ્રી ઉછરંગરાય ઢેબરને પ્રમુખ નીમો.
[રહેવા દીધેલાં નામો]
- ૨. જાડેજા જીવણસિંહજી ધીરુભા
- ૩. શેઠ દાદા હાજી વલીમહંમદ
- ૫. મિ. મોહનલાલ એમ. ટાંક અને
- ૭. શેઠ હાતુભાઈ અબદુલઅલી
- “૪. ત્રણ અથવા ઓછા અધિકારીઓ જેને પરિષદની વતી હું પસંદ કરી શકું એને સમિતિના મદદનીશ અને સલાહકાર નીમો. તેમને સમિતિના કામમાં મત આપવાનો અધિકાર ન હોય.
- ૨. જાડેજા જીવણસિંહજી ધીરુભા