- કરી શકે. કારોબારી સમિતિએ પ્રમુખના વિરોધ છતાં પોતાનો કક્કો ખરા કર્યાના અનેક દાખલા છે. ને તે પ્રમુખો પ્રત્યે ન્યાયની ખાતર મારે કહેવું જોઈએ કે એવે વખતે એમણે કારોબારી સમિતિના નિર્ણયને માન આપ્યું છે.
“ બધા સાથીઓ અત્યારે બારડોલીમાં નથી અને પૂરતો સમય પણ નથી એટલે બીજા સાથીઓ સાથે મસલત કર્યા વિના મેં એકલાએ જ સુભાષબાબુના નિવેદનનો જવાબ આપવાની છૂટ લીધી છે. બીજા સાથીઓને પોતપોતાનો અભિપ્રાય દર્શાવવાનો અધિકાર છે.
“મારે માટે અને જેમની સાથે આ પ્રશ્ન વિષે હું ચર્ચા કરી શક્યો છું તેમને માટે આ મુદ્દો અમુક વ્યક્તિ કે અમુક સિદ્ધાંતનો નથી, નરમ વિચારના કે ગરમ વિચારનાનો પણ નથી. આમાં એકમાત્ર વિચાર એ કરવાનો છે કે દેશનું વધારેમાં વધારે હિત શેમાં સમાયેલું છે ? અમે નિવેદન કાઢનારાઓને મારે મને તો પ્રતિનિધિઓને દોરવણી આપવાની સંપૂર્ણ અધિકાર છે. રોજ મને પ્રતિનિધિ તરફથી માર્ગદર્શન માટે કાગળો અને તારો મળ્યા જ કરે છે. મને લાગે છે, બીજા મારા સાથીઓને એવા કાગળ અને તારો મળતા જ હશે. આ સંજોગોમાં અધિકાર એ કર્તવ્ય બની જાય છે. વળી માર્ગદર્શન કરાવી દીધા પછી પ્રતિનિધિઓને પોતાના મતનો ઉપયોગ પોતાને ઠીક લાગે તે પ્રમાણે કરવાની છૂટ તો છે જ.”
ડૉ. પટ્ટાભી સીતારામૈયાએ પણ તે જ દિવસે એક નિવેદન બહાર પાડયું. પોતે કેવા સંજોગોમાં પ્રમુખપદની ઉમેદવારી કરે છે તે જણાવીને તેમણે કહ્યું કે,
“ હવે આજનો જે સળગતો પ્રશ્ન છે એ બાબતમાં મારી સ્થિતિની હું ચોખવટ કરીશ. હું ગાંધીજીના સિદ્ધાંતોનો ચુસ્ત ભક્ત છું, એ તો દેશમાં ધાણા લોકો હવે ઠીક ઠીક જાણે છે. એ વિષય ઉપર તેમ જ આજના રાજદ્વારી પ્રશ્નો ઉપર હું ઘણી વાર બોલ્યો છું અને મેં પુષ્કળ લખ્યું છે. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍકટમાં સમૂહતંત્રની જે યાજના આપેલી છે તેમાં રહેલા ભય ઉધાડા પાડવામાં દેશમાં બીજા કોઈના જેટલું કાર્ચ મેં પણ કરેલું છે. કૉંગ્રેસની લખનૌની અને હરિપુરાની બેઠકના ગાળામાં મને તેમ કરવાની વધારે છૂટ હતી અને મેં તેનો ઉપયોગ આપણા ઉપર જે બંધારણ લાદવામાં આવ્યું છે, તેનાં ફરચાડિયાં ઉડાડી દેવામાં પૂરેપૂરો કર્યો છે. હરિપુરાની બેઠક પછી કારોબારી સભ્ય હોઈ મારી જાત ઉપર મારે અમુક અંકુશ રાખવો પડ્યો છે. મારા જાણવા ને માનવા પ્રમાણે કારોબારી સમિતિમાં કોઈ પણ સભ્યે સંમૂહતંત્રના પ્રશ્ન પર બ્રિટિશ સરકાર સાથે માંડવાળ કરવાનો વિચાર સરખો કર્યો નથી. મેં પોતે તાજેતરમાં જ અસંદિગ્ધ રીતે સ્પષ્ટ કર્યું છે કે વાઈસરૉયનું નિવેદન એ કોંગ્રેસનાં દ્વાર હળવેથી ઠેલવાના પ્રયત્નરૂપે હતું. પણ કૉંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ તરફથી તેને બરાબર જવાબ આપેલ છે.
"એક વાતનો મારે ખુલાસો કરવાનો રહે છે. સુભાષબાબુની તરફેણમાં હું મારું નામ કેમ પાછું ખેંચી લેતો નથી? એટલા માટે કે આદરપાત્ર સાથીઓની