આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૭
કૉંગ્રેસ વનવાસી બને છે

સામ્રાજ્યવાદની જડ કાયમ કરવાનો હોય, તે લડાઈમાં આ સમિતિ સાથ આપી શકશે નહીંં.

“ પણ પ્રસંગની ગંભીરતા જોતાં, અને ગયા થોડાક દિવસમાં માણસોના વિચાર કરતાં ઘટનાઓનો વેગ ઘણી વાર વધારે ત્વરાથી ચાલી રહ્યો છે તે જોતાં, આ સમિતિ અત્યારે કંઈ પણ અંતિમ નિર્ણય કરવા માગતી નથી, જેથી કયા પ્રશ્નો સંડોવાયેલા છે, વાસ્તવિક ધ્યેચ શાં છે અને વર્તમાન તથા ભવિષ્યમાં હિન્દુસ્તાનની સ્થિતિ કેવી રહેશે તેનો પૂરેપૂરો ખુલાસો થવાનો અવકાશ મળે. પણ એ નિર્ણય ઉપર આવવામાં લાંબો વિલંબ નહીં કરી શકાય, કેમ કે દિનપ્રતિદિન હિન્દુસ્તાનને એવી બાબતોમાં સડોવવામાં આવતું જાય છે, જેમાં તેણે પોતે હા ભણી નથી અને જેમાં તે અસંમત છે.

"તેથી કારોબારી સમિતિ બ્રિટિશ સરકારને કહે છે કે તમે અસંદિગ્ધ શબ્દોમાં જાહેર કરો કે લોકશાસન અને સામ્રાજ્યવાદની બાબતમાં તેમ જ ભવિષ્યને માટે કલ્પેલી નવી વ્યવસ્થાની બાબતમાં યુદ્ધને અંગે તમારાં ધ્ચેચ શાં શાં છે અને ખાસ કરીને એ ધ્યેચો હિન્દુસ્તાનને કેવી રીતે લાગુ પાડવાનાં છે અને તેનો હાલ તુરત કઈ રીતે અમલ થવાના છે. તેમાં સામ્રાજ્યવાદના નાશનો અને હિન્દુસ્તાનને સ્વતંત્ર પ્રજા તરીકે ગણવાનો અને તેની રાજનીતિ તેની પ્રજાની ઇચ્છાનુસાર ચાલવા દેવાનો સમાવેશ થશે ખરો ? ભવિષ્યને વિષે સ્પષ્ટ જાહેરાત થાય, અને તેમાં સામ્રાજ્યવાદ તેમ જ ફાસીઝમનો અંત આણવાની સરકાર પ્રતિજ્ઞા કરે એને સઘળા દેશની પ્રજાએ વધાવી લેશે. પણ એને બની શકે તેટલો વધારેમાં વધારે અંશે તત્કાળ અમલ કરવો એ એથી ધણું વધારે અગત્યનું છે. કેમ કે એમ કરવાથી જ લોકોને ખાતરી થશે કે સરકારની જાહેરાત તેનો અમલ કરવાના ઇરાદાથી થયેલ છે. કોઈ પણ જાહેરાતની સાચી કસોટી તે એનો વર્તમાનમાં થયેલ અમલ છે. કેમ કે વર્તમાન જ મનુષ્યની આજની પ્રવૃત્તિનું નિયમન કરશે, અને ભવિષ્યનું ઘડતર રચશે.

“યુરોપમાં લડાઈ ફાટી નીકળી છે ને ભવિષ્યનો વિચાર કરતાં ધુજી જવાચ છે. ગયાં થોડાંક વરસમાં ઐબિસિનિયા, સ્પેન અને ચીનમાં યુદ્ધ હારેલા માણસોનો સંહાર કર્યો છે, અસંખ્ય નિર્દોષ સ્ત્રી, પુરુષ, બાળકોને ખુલ્લાં શહેરો ઉપર આકાશમાંથી બૉમ્બ વર્ષાવીને મારી નાખવામાં આવ્યાં છે, તથા ઠંડે કલેજે કતલ કરવામાં આવી છે અને લોકોને વિવિધ યાતનાઓ અને ભૂંડામાં ભૂડાં અપમાન વેઠવાં પડચાં છે. આવું બધું એક પછી એક ઝપાટાબંધ બની ગયું છે. એ ત્રાસ વધતો જ ગયો છે. હિંસા તથા હિંસાની ધમકી જગતને માથે ઝઝુમી રહ્યાં છે. જો એના ઉપર અંકુશ મૂકીને એનો અંત આણવામાં નહીં આવે તો એ પાછલા યુગોના કીમતી વારસાનો નાશ કરી નાખશે. એ ત્રાસ ઉપર યુરોપમાં તેમ જ ચીનમાં અંકુશ મુકાવો જ જોઈએ. ફાસીઝમ અને સામ્રાજ્યવાદ જે એનાં મૂળ કારણ છે જ્યાં લગી દુર નહીં થાય ત્યાં લગી એનો અંત નહી આવે. એ દૂર કરવામાં કારોબારી સમિતિ સાથ આપવા તૈયાર છે. પણ જો આ ભયાનક યુદ્ધ પણ સામ્રાજ્યવાદની ભાવનાથી અને વર્તમાન સમાજરચના - જે પોતે જ