આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૩
કૉંગ્રેસ વનવાસી બને છે

સ્વતંત્રતા ખોઈ ને મિત્ર રાજ્યોને મદદ કરવી જોઈએ. બ્રિટનના રથને પૈડે હિન્દુસ્તાનને બાંધવામાં આવે તેમાં હું ભળું નહીં. મારી પ્રાર્થના તો હજી પણ

એ છે કે બ્રિટન અને ફ્રાન્સનો જચ થાઓ; એટલું જ નહીં પણ જર્મનીનો વિનાશ ન થાઓ. યુરોપનાં રાષ્ટ્રોની સ્વતંત્રતા હિંદની સ્વતંત્રતાના ખંડેર ઉપર રચાય એ હું જેમ ઇચ્છતો નથી તેમ જ યુદ્ધમાં પડેલાં રાષ્ટ્રોમાંથી કોઈ પણ રાષ્ટ્રની રાખ ઉપર હિન્દુસ્તાનની સ્વતંત્રતાની ઇમારત રચવાની મારી લવલેશ ઇચ્છા નથી.”

કૉંગ્રસની કારોબારી સમિતિએ તા. રરમીએ વર્ધામાં મળીને વાઈસરૉયના જાહેરનામાનો નીચેના ઠરાવથી જવાબ આપ્યો :

“ કારોબારી સમિતિનો એવો અભિપ્રાય છે કે લડાઈને લગતા હેતુઓની - ખાસ કરીને હિન્દ પરત્વે તેના અમલને લગતી - જાહેરાત કરવા વિષે આ સમિતિએ કરેલી માગણીના જવાબમાં ના. વાઈસરૉયનું જાહેરનામું સાવ અસંતોષકારક છે. જેઓ હિન્દની સ્વતંત્રતા માટે ઇન્તજાર ને નિશ્ચયવાળા છે તે સધળા લોકોમાં એથી રોષની લાગણી પેદા થશે. જાહેરાત માટેની આ સમિતિની માગણી એકલી હિન્દની પ્રજાની વતી નહીં પણ લડાઇથી અને હિંસાથી તથા રાષ્ટ્રોને અને પ્રજાઓને શોષનારાં ફાસિસ્ટ અને સામ્રાજયવાદી તંત્રો જેઓ જ આ બધી આફતનાં કારણભૂત છે તેમનાથી ત્રાસી ઊઠેલા દુનિયાભરના કરોડો લોકોની વતી હતી. દુનિયાની આમપ્રજા સૌને સારુ શાંતિ તથા સ્વતંત્રતાવાળો નવો યુગ સ્થપાયેલો જોવા ઝંખે છે. ના. વાઈસરૉચનું જાહેરનામું જૂની સામ્રાજ્યવાદી નીતિનો અસંદિગ્ધ પુનરુચ્ચાર માત્ર છે. જુદા જુદા પક્ષો વચ્ચેના મતભેદને તેમાં જે ઉલ્લેખ કરવામાં આવેલો છે તેને આ સમિતિ બ્રિટનના ખરા હેતુને છુપાવવા સારુ વાપરેલા પર્દારૂપ લેખે છે. સમિતિની માગણી તો એ હતી કે, પરસ્પર વિરોધી પક્ષો અગર જૂથોના વલણ તરફ આંગળી ન ચીંધતાં હિન્દ પરત્વેની પોતાની પ્રામાણિકતાની સાબિતી તરીકે બ્રિટને લડાઈમાં રહેલા હેતુએાની જાહેરાત કરવી. લધુમતીઓના અધિકારોની રક્ષાને માટે તો ભરપૂર બાંયધરી આપી મૂકવાની કૉંગ્રેસની હમેશની નીતિ રહી જ છે. કૉંગ્રેસની માગણીમાં રજૂ થતી આઝાદી કોઈ પણ એક પક્ષની કે કોમની નહીં પણ સમસ્ત પ્રજાની, હિન્દની તમામ કોમેાની આઝાદી છે. આવી આઝાદી સ્થાપવાનો અને સમસ્ત પ્રજાની ઇચ્છા શી છે તે નક્કી કરવાનો એકમાત્ર માર્ગ એ છે કે જેમાં સૌને પોતાને મત ૨જૂ કરવાની સંપૂર્ણ તક મળે એવી લોકશાસનની રીત અખત્યાર કરવી. આથી ના. વાઈસરૉયના જાહેરનામાને આ સમિતિએ દરેક દૃષ્ટિએ કમનસીબ લેખવું રહ્યું છે. આ સ્થિતિમાં આ સમિતિ બ્રિટનને કશો ટેકો આપી શકતી નથી. કારણ કે એનો અર્થ તો એ થાય કે જે સામ્રાજ્યવાદી નીતિને ખતમ કરવાનો કૉંગ્રેસનો હંમેશા પ્રયત્ન રહ્યો છે તેને જ સંમતિ આપવી. તેથી આ દિશામાં પહેલા કદમ તરીકે આ સમિતિ કૉંગ્રેસી પ્રધાનમંડળોને રાજીનામાં આપી દેવાનો આદેશ આપે છે.

“ આ સમિતિ આખા દેશને હૃદયથી વીનવે છે કે આ ગંભીર ટાંકણે તમામ ઘરમેળેના કલેશ કજિયા દફનાવી દેવા, અને હિદની આઝાદીના કાર્યમાં સૌએ એક થઈને ચાલવું. તમામ કૉંગ્રેસ કમિટીઓને તથા બધા જ કૉંગ્રેસવાદીઓને