આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૫
કૉંગ્રેસ વનવાસી બને છે

ઉદ્દેશો પ્રમાણે હિન્દુસ્તાનના લોકોનો સહકાર મેળવવો હોય તો એ ખૂબ જરૂરી છે કે મુસ્લિમ અને બીજી લધુમતીઓના રક્ષણ સાથે લોકશાહીનો સિદ્ધાંત હિન્દુસ્તાનને લાગુ પાડવામાં આવે અને હિન્દુસ્તાનના લોકો જ હિન્દુસ્તાનની રાજનીતિ ઘડે, હિન્દુસ્તાનને પોતાનું રાજબંધારણ ઘડવાના હકવાળું એક સ્વતંત્ર રાજ્ય ગણવું જોઈએ, અને હિન્દુસ્તાનના રાજવહીવટમાં એ સિદ્ધાંતને અમલ કરવા માટે વર્તમાન પરિસ્થિતિમાં શકય હોય તેટલા જરૂરી પગલાં એ માટે લેવાવાં જોઈએ.

“ આ ધારાસભાને દિલગીરી થાય છે કે શહેનશાહની સરકારે હિન્દુસ્તાનને વિષે પોતાના તરફથી સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું ત્યારે તે હિન્દુસ્તાનની પરિસ્થિતિ ખરી રીતે સમજી નથી. બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનની માગણીને સમજવામાં નિષ્ફળ ગઈ છે, તેથી આ ધારાસભાનો મત એવો છે કે આ પ્રાંતની સરકાર બ્રિટિશ નીતિમાં ભાગીદાર થઈ શકતી નથી.”

યુરોપમાં લડાઈ જાહેર થયા પછી કારોબારી સમિતિએ વખતોવખત પસાર થયેલા ઠરાવના પ્રકાશમાં ધારાસભાઓના આ ઠરાવનો શો અર્થ થાય તે જુદા જુદા પ્રાંતના વડા પ્રધાનોએ પોતાનાં ભાષણોમાં સમજાવ્યું.

પહેલાં રાજીનામાં અઠ્ઠાવીસમી ઑકટોબરે મદ્રાસમાં પડ્યાં. જે દિવસે મદ્રાસના પ્રધાનમંડળે રાજીનામું આપ્યું તે જ દિવસે પાર્લમેન્ટની આમસભામાં હિન્દના પ્રશ્ન ઉપર ચર્ચા ચાલતી હતી. સર સેમ્યુઅલ હૉર મુખ્ય વક્તા હતા. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે,

“ ડોમિનિયન સ્ટેટસ એ કાંઈ લાયક પ્રજાને આપવામાં આવતું ઇનામ નથી પણ જે હકીકત વાસ્તવિક રીતે હસ્તી ધરાવતી હોય તેને સ્વીકાર કરવાપણું છે. આજે હિન્દુસ્તાનના માર્ગમાં મુશ્કેલી હોય તો તે કાંઈ અમે ઊભી કરેલી નથી. તેમની પોતાની અંદર પક્ષાપક્ષી છે તે દૂર કરવાની મુખ્ય ફરજ હિન્દીઓની જ છે. હિન્દીઓના એ કામમાં અમે મદદ કરીએ ખરા. અમે જ્યારે કોમી ચુકાદો આપ્યો ત્યારે અમે અમારી શુભ દાનત બતાવી આપી હતી. પણ એ ચુકાદા છતાં કોમી પક્ષાપક્ષી હજી ચાલુ જ છે. એ જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી લઘુમતી કોમો પ્રત્યે અમારી જે જવાબદારી છે તે અમે ખંખેરી નાખી શકતા નથી. રાજાઓને બ્રિટિશ હિન્દથી દબાઈ જવાનો ભય લાગે છે. મધ્ય સરકારમાં હિન્દુઓની બહુમતી રહે તેની સામે મુસલમાનોનો સખત વિરોધ છે. દલિત વર્ગો તથા બીજી લધુમતી કોમો (જેમાં તેમણે યુરોપિયનોને પણ ગણાવ્યા) તેઓ ખરેખર એમ માને છે કે જવાબદાર રાજ્યતંત્ર એટલે હિન્દુઓની બહુમતીવાળું રાજ્યતંત્ર થવાનું અને તેમાં અમારાં હિતનો ભોગ અપાવાનો. જ્યાં સુધી આ જાતની ચિંતાઓ બીજી કોમોને રહે છે ત્યાં સુધી મધ્ય સરકારમાં અમુક તારીખે તત્કાળ અને પૂર્ણ જવાબદારી આપવાની માગણી બ્રિટિશ સરકાર સ્વીકારી શકે નહીં.

"કૉંગ્રેસ માની લે છે કે વાઈસરૉયે જે સલાહકાર સમિતિ બનાવવાની વાત કરી છે તેને કશો અર્થ નથી અને બંધારણીય પ્રગતિ અટકાવવાની એ માત્ર એક યુક્તિ છે. મારા વિચાર પ્રમાણે આમ માની લેવામાં કૉંગ્રેસે