આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૩
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

અટકાવી દેવાની હદ સુધી પહોંચાડવાની ધારણા મૂળથી જ કરી નહોતી. એ બધી પ્રવૃત્તિઓની નેમ હિન્દને શાંતિપરાયણ બનાવવાની તેમ જ એમ બતાવી આપવાની છે કે, હિન્દનું લડાઈમાં ભળવું એ કોઈને — ગ્રેટબ્રિટનને પણ — લાભકર્તા હોઈ શકે નહીં. મારે ફરી કહેવું રહ્યું કે હજીયે કૉંગ્રેસ બ્રિટિશ સરકારને તેના યુદ્ધપ્રયત્નમાં મૂંઝવવા નથી માગતી. પણ માનવ જાતિના ઇતિહાસના આજના કટોકટીને સમયે એ નીતિને અવિચારીપણે વળગી રહીને પોતાના સિદ્ધાંતનો ઇન્કાર કરવાની હદ સુધી કૉંગ્રેસથી ન જ જઈ શકાય. કૉંગ્રેસને મરવું નિર્માયું હશે તો એવી મરણભેટ પણ પોતાની શ્રદ્ધાને જાહેર કરતાં કરતાં જ તેણે કરવી રહી.”

વાઈસરૉય સાથેની મુલાકાતનો કાર્યક્રમ પતી ગયા પછી તા. ૧૧મી ઑક્ટોબરે કારોબારી સમિતિની બેઠક થઈ. સભ્યો સાથે ગાંધીજીને ત્રણ દિવસ સુધી ચર્ચા થઈ. એ ચર્ચા દરમ્યાન ગાંધીજીએ પોતાની સવિનય ભંગની યોજના બધા સભ્યોને સમજાવી. ગાંધીજીનો વિચાર સરકાર સાથે બિનજરૂરી એવાં તમામ ઘર્ષણો ટાળવાનો હતો, તેથી સવિનય ભંગની બાબતમાં પણ તેમણે ઘણી વધારે મર્યાદાઓ રાખી હતી. કારોબારી સમિતિના કેટલાક સભ્યોને આટલી બધી મર્યાદાઓ રાખવા સામે વાંધો હતો. પણ ગાંધીજીનો બહ આગ્રહ હતો એટલે શિસ્તને ખાતર શક્ય તેટલું બધું પાળવાને તેઓ તૈયાર થયા.

સવિનય ભંગની લડત માટે પહેલા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબાને પસંદ કર્યા. તેમણે તા. ૧૭મી ઓક્ટોબરે પોતાના પવનાર આશ્રમ આગળ યુદ્ધવિરોધી ભાષણ કરીને કાયદાનો સવિનય ભંગ કર્યો. તેમને પકડવામાં ન આવ્યા. એટલે યુદ્ધવિરાધી ભાષણો કરતાં તેમણે આસપાસનાં ગામડાંમાં ફરવા માંડ્યું. છેવટે તા. ૨૧મી ઓક્ટોબરે સરકારે તેમને પકડ્યા, અને ત્રણ મહિનાની સજા કરી.

બીજા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પડિત જવાહરલાલને પસંદ કર્યા હતા. તેમને મળવા માટે સેવાગ્રામ બોલાવ્યા અને તા. ૭મી નવેમ્બરે તેમણે સત્યાગ્રહ કરવો એમ ઠરાવવામાં આવ્યું. પણ ગાંધીજીને મળીને તેઓ અલ્લાહાબાદ ગયા ત્યાં જ ૩૧મી ઓક્ટોબરે તેમને પકડવામાં આવ્યા. ગાંધીજીને મળવા જતાં પહેલાં તેઓએ લોકોની તૈયારી કેટલી છે તે જાણવા માટે અને તેઓને સૂચનાઓ આપી તૈયાર કરવાને માટે પોતાના પ્રાંતનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસ દરમ્યાન તેમણે કરેલાં ભાષણોમાંથી એક ભાષણ લઈને તે બદલ તેમને ચાર વરસની સજા કરવામાં આવી.

ગાંધીજીએ બધી પ્રાંતિક સમિતિઓને સૂચના આપી હતી કે, જેમણે સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહી કરી હોય તેમનામાંથી સવિનય કાયદાભંગ