આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮

મદનમૂર્તિ જે મનમાં રમી
તેને નવ રહેશે કંઇ કમી.

દોહરા.

વિઘ્ન વિદારક એ પ્રભુ, લો અનાથ સંભાળ;
માતપિતા વેરી હવા, ગણે ન નિજનું બાળ;
આવિ છું તારે આશરે, છે નવ દેતા નાથ;

ભક્તવછળ પ્રભુ રાખજે બાંહે ગ્રહ્યાની લાજ.

આ પ્રમાણે પ્રભૂપ્રાર્થનાએ સોચંતિને વિલપંતિ તે વિચારમાં પડી ગઇ છે, એટલામાં તેની માતા તેની પાસે કંઇ કાર્યસર આવી પહોંચી. વાતચિતમાં તેની મા સમજી ગઇ, ને તેથી દ્રઢ ઠરાવ કીધો કે ભલેને, ગમે તેમ થાઓ લગ્ન કરીશ, કારણ હવે હું મારી પુત્રીનું દુઃખ જોઇ શકતી નથી. તેણે ઘરમાં જઇને સવીતાને એક પત્ર લખ્યો, ને તેમાં જણાવ્યું કે, તમારી સાથે સુંદરીના લગ્ન કરવાનો નિશ્ચય કીધો છે, હવે માત્ર તેના આવવાનીજ વાર છે. હવે કદાચ સુંદરીનો પિતા રતિપતિ જેવો કાંતિવાન, બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન, કુળમાં કુલીનોનો અગ્રગણ્ય વર લઈ આવશે તોપણ હું કદીપણ તેને સુંદરી આપીશ નહીં, પણ