આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧


પ્રકરણ ૧૧ મું.
સંદેહ.
[૧]नजातु विप्रिय भर्तु:स्त्रिया कार्यं कथञ्चन.॥

સ્ત્રીજનનું ચરિત્ર ને પુરૂષનું ભાગ્યોદય સાક્ષાત્ બ્રહ્મા પણ જાણતા નથી. નસીબ ફરે છે તેને કશી વાર લાગતી નથી. હજારો પ્રયત્ન કરો, પણ ભાગ્યદેવતાની કૃપા વગર સર્વે અવરથા છે.

સવીતાશંકરની બેહેન ને બનેવી જેમતેમ કરતાં કાળ ગુજારે છે, મંદિરાનંદની આંખ ગઇ છે. આથી મધુરિમાનો ધર્મ છે કે હવે તેણે પોતાના પતિની સેવા શુદ્ધ મનથી કરવી જોઇયે. અને તેને જરા પણ દુભણ લાગે તેમ કરવું નહીં જેઈયે. પણ કમનસીબને યોગે આટલા દિવસ પછી તેઓના મનમાં વિષાદ ઉત્પન્ન થવા લાગ્યા. જે વિવાદ વિષાદ ઉત્પન્ન થયો તે એક દાસીને લીધે હતો. તે દાસી બાલ્યાવસ્થાથીજ મંદિરાનંદના ઘરમાં રેહેતી હતી. વડોદરે આવતી વેળાએ


  1. *સ્ત્રી સ્વામિનું બુરૂ ન કરવું જોઈએ.