આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
બેરાગી

આપણે પકડાયા તો મૂવે જ છુટકો છે,” નાયકે હીંમત રાખીને જવાબ દીધો.

“સચ હૈ બચ્ચા !” મહારાજે કહ્યું, “તેરી પાસ અચ્છી ઘોડી હૈ, ઔર બહોત ત્વરાસે વો ચલનેવાલી હૈ; મેરે બાસ્તે અબ બહોત અચ્છા ઘેાડા”-

એ વાક્ય પૂરું નહિ થયું, તેવામાં બહિરજીનો એક સાથી ત્યાં આવી પહોંચ્યો. બહિરજીએ બાવાજીનો કહેવાનો મર્મ સમજી લીધો હતો તેથી પોતાના સાથીનો ઘોડો માગ્યો. તેણે તુરત જ પોતાનો ઘોડો, જે હાજર હતો તે આપવાની હા કહી. બહિરજી પાસે ખાવાનું તૈયાર હતું, તે બંને જણે ખાઈ લીધું અને બાવાએ પોતાના ચેલાને બોલાવીને સમજાવ્યું કે, પંઢરપુરની જાત્રા જવાની છે, માટે જ્યાં સુધી હું આવું નહિ ત્યાં સુધી આ હનુમંતની સેવા કરજે, મઢુલી તપાસજે. કમર કસી દઈ, ઘોડાપર સાજ સજી, ચંદ્રના ઉગવા પહેલાં બંને જણે પોતાના તેજીને દક્ષિણ દિશાએ જવા માટે છૂટી લગામે એકદમ છોડી મૂક્યા ને રાત્રિની ઠંડીમાં કલાકે પાંચ સાત ગાઉની ચાલથી ઘોડાએા વધ્યા ગયા.