આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪: શોભના
‘એક શર્તે.' રંભાએ કહ્યું.
‘શી ?’
“મને હાથ ઝાલીને ચાલવા દો. તો !’
પરાશર જરા શાંત રહ્યો. થોડી વારે પરાશરે કહ્યું :
“પણ તમે હવે તો જાણો છો ને - કે હું પરણેલો છું ?’
‘હશો. તેથી શું ?’ રંભાએ જરા રિસાળ જવાબ આપ્યો.
રતન પોતાની ઓરડીમાં જવાને બદલે બારણા પાછળ ચોરીછૂપીથી ઊભી રહી હતી. તેણે આખી વાતચીત સાંભળી.
‘તેથી શું ?’
પરાશરનો જવાબ સાંભળવા તે સહેજ અટકી; કાંઈ સંભળાયું નહિ. બારણાની તડમાંથી તેણે નજર નાખી. એવી નજર નાખવામાં પાપ છે એમ એને લાગ્યું નહિ.