આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(શ્રી સહજાનંદસ્વામી જેતે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણભગવાન તેનું ધ્યાનરુપ મંગળાચરણ કરે છે.)
હું જે તે મારા હદયને વિષે શ્રીકૃષ્ણભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ કેવા છે તો- જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. (૧)