પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
शिक्षापत्री


તે માટે અમારા શિષ્‍ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્‍લંઘન કરીને વર્તવું નહિં (૧૦)


હવે જે વતર્યાની રીત કહી છીએ જે અમારા જે સત્‍સંગી તેમણે કોઇપણ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાચંડ, આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી (૧૧)

અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માંછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્‍ત્રોમાં કહ્યું છે (૧૨)