આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭
૭
शिक्षापत्री
સુરા અને અગીયારસ પ્રકારનું મધ તે દેવતાનું નૈવેધ્ય હોય તો પણ ન પીવું (૧પ)
અને કયારેક પોતાવતે કાંઇક અયોગ્ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાથી અયોગ્ય આચરણ થઇ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું (૧૬)
અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું (૧૭)