આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮
૮
शिक्षापत्री
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો. અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં (૧૮)
અને જેના હાથનું રાંધેલુ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલુ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી (૧૯)
અને પોતાના સ્વાર્થની સિધ્ધિને અર્થે પણ કોઇના