આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
૧૮
शिक्षापत्री
અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. (૪૬)
અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું. કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરુપે કરીને પ્રતિપાદન કર્યું છે. (૪૭)
અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપધ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. (૪૮)
અને અમારા સત્સંગી તેમણે નિત્ય સુર્ય ઉગ્યાથી