આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
૨૧
शिक्षापत्री
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી (પપ)
અને તે જે આત્મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (પ૬)
અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર