આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
૨૨
शिक्षापत्री
અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું (પ૭)
અને પછી શ્રીકૃષ્ણભગવાનને નૈવેધ કરીને પછી તે પ્રસાદિ એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. (પ૮)
અને નિર્ગુણ કહેતાં માયાનાં જે સત્વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણભગવાન તેના સબંધથકી તે આત્મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. (પ૯)