આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
૨૭
शिक्षापत्री
પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા (૭૧)
અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું (૭૨)
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો (૭૩)