પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
૩૧
शिक्षापत्री

અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્‍ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું (૮૨)

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિષે દયાવાન થવું (૮૩)

અને અમારા જે આશ્રિત તેમણે વિષ્‍ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ જેતે પૂજયપણે કરીને માનવા (૮૪)