પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
૩૪
शिक्षापत्री

વૃતિઓ તેમણે કરીને વર્તવું અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્ત્તિઓ તેમણે કરીને વર્તવું (૯૦)

અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધા‍નાદિક સંસ્‍કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય તે પ્રમાણે કરવાં (૯૧)

અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ર્ચિત કરવું. (૯૨)

ને ચાર વેદ તથા વ્‍યાસસૂત્ર તથા શ્રીમદભાગવત