પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
૩૯
शिक्षापत्री

અને જે જીવ છે તે હ્રુદયને વિષે રહ્યો છે ને અણું સરખો સુક્ષ્‍મ છે તે ચૈતન્‍યરુપ છે ને બધું જાણનારો છે અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્‍યે વ્‍યાપીને રહ્યો છે અને અચ્‍છેધ્ધ, અભેદ, અજર, અમર ઇત્‍યાદીક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો (૧૦પ)

ને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરુપ છે ને શ્રીકૃષ્‍ણભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંમમત્‍વની કરાવનારી છે એમ માયાને જાણવી (૧૦૬)

અને જે ઇશ્ર્વર છે તે જેતે જેમ હ્રુદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્‍વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્ર્વરને જાણવા (૧૦૭)