પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
૪૨
शिक्षापत्री

તે ભકિત થકી બીજુ કલ્‍યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું (૧૧૩)

અને વિધાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્‍ણભગવાનને વિષે ભકિત કરવી ને સત્‍સંગી કરવો અને એમ ભકિત ને સત્‍સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (૧૧૪)

અને શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનનાં જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણભગવાનની જે પ્રતિમા તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે, માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી, માટે એમનું ધ્‍યાન ન કરવું (૧૧પ)